13 જાન્યુ, 2019

પક્ષીઓનું મહત્વ

*પક્ષીઓ કેમ મહત્વના છે ?*
*પક્ષીઓને શા માટે બચાવવા જોઈએ ?*

તેનું થોડું વર્ણન નીચે મુજબ છે....

1. પક્ષીઓ કીટક નિયંત્રણ કરે છે.

• તાજેતરના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે પક્ષીઓ દર વર્ષે 400-500 મિલિયન જંતુઓ ખાય છે.
• ચીનમાં, રોજિંદા ખોરાકના બે તૃતિયાંશ ભાગમાં કૃષિ જંતુઓનો સમાવેશ થાય છે, અને સમગ્ર અમેરિકાના જંગલોમાં, Evening Grosbeak પક્ષી, સ્પ્રુસ બડવોર્મ (Spruce Budworm)ના ફેલાવા દરમિયાન સુપરહીરો બની જાય છે, જે ચોરસ કિલોમીટર દીઠ $ 1,820 ની કિંમતનું જૈવિક નિયંત્રણ આપે છે.

2. પક્ષીઓ પરગનયન કરે છે.

• હમીંગબર્ડ્સ પક્ષીઓ પરાગનયનમાં મોટા પ્રમાણમાં ફાળો આપે છે.
• દક્ષિણ આફ્રિકામાં સાલ્વિયા જાતિના ઝાડનું પરગનયન ફક્ત પક્ષીઓ  દ્વારા જ થાય છે.
• પરગનયન કરનાર તરીકેની પક્ષીની ભૂમિકા આપણને સીધી રીતે લાભ કરે છે - લગભગ 5% છોડ એવા છે જે ખોરાક અથવા દવા તરીકે ઉપયોગી છે તેનું પરગનયન પક્ષીઓ દ્વારા થાય છે અને જ્યારે તેઓ અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે પરિણામ ઘાતક હોઈ શકે છે:
• Hawaiian bellflowers પુષ્પની 31 પ્રજાતિઓ અને તેનું પરગનયન કરતા પક્ષીઓ લુપ્ત થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

3. પક્ષીઓ કુદરતના સફાઈ કામદાર છે.

• ગીધ એક મૃતભક્ષી પક્ષી છે જે મરેલા ઢોર, પ્રાણીઓને ખાય છે અને મૃત પ્રાણીઓ દ્વારા ફેલાતા ગંભીર રોગોને અટકાવે છે.
• એક ગીધ તેના જીવનકાળ દરમિયાન લાખો રૂપિયા બચાવી, મૃતકોનો કચરો નિકાલની સેવાઓ પૂરી પાડે છે.
• એશિયામાં ગીધના પતન બાદ, કુતરાઓની વસ્તી 5.5 મિલિયન જેટલી વધી ગઈ છે, જે હડકવા ફેલાવવા માટે જવાબદાર છે અને અંદાજે 47,300 માનવીઓને  મૃત્યુ તરફ દોરી જાય છે.

4. પક્ષીઓ બીજ ફેલાવે છે.

• જ્યારે પક્ષીઓ મુસાફરી કરે છે, ત્યારે તેમના મળત્યાગ (ડ્રોપિંગ્સ) દ્વારા બીજ ફેલાવે છે.
• તેઓ છોડને કુદરતમાં પાછા લાવે છે જેનો માનવીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો છે, અને એક જગ્યાએથી છોડને બીજના સ્વરૂપમાં બીજા વિસ્તારમાં લઈ જાય છે.
• પક્ષીઓનો આપણા વિશ્વના વનસ્પતિ જીવનને આકાર આપવામાં મોટો ફાળો  છે.

5. પક્ષીઓ સંપૂર્ણ વિસ્તારનું પરિવર્તન કરે છે

• જંગલો અને ઘાસના મેદાનો જેવા વિસ્તારો સમગ્ર વિશ્વના લોકો પર અસર કરે છે, જે લોકો સેંકડો માઇલ દૂર રહે છે  તેઓને પણ. આવા વિસ્તારો કાર્બન સંગ્રહિત કરે છે, આબોહવા સ્થિર રાખે છે, હવાને ઓક્સિજન આપે છે.
• પરંતુ પક્ષીઓ વિના, આમાના ઘણા પર્યાવરણો અસ્તિત્વમાં નથી. પક્ષીઓ છોડ અને શાકાહારી, શિકારી અને શિકાર વચ્ચે નાજુક સંતુલન જાળવે છે.

6. પક્ષીઓ પરવાળા (કોરલ રીફ્સ)ને જીવંત રાખે છે.

• પક્ષીઓ ખાસ કરીને દરિયાઇ પક્ષીઓ, પોષક તત્વોને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને કોરલ રીફ્સ જેવા સમુદ્રી પર્યાવરણને ફળદ્રુપ કરવામાં મદદ કરે છે.
• દરિયાઈ પક્ષીઓ દરિયામાં ખાતા-ખાતા સેંકડો કિલોમીટર મુસાફરી કરે છે - અને જ્યારે તેઓ પાછા ફરે છે, ત્યારે તેઓ તેમના વસાહતોમાં અત્યંત તીવ્ર ગુઆનો (સી બર્ડ ડ્રોપિંગ્સ)ની સ્તરો બનાવે છે. આ ગુઆનો દરિયામાં પ્રવેશે છે અને નજીકના સમુદાયો જેમ કે કોરલ રીફ્સનો ઉછેર કરે છે.
• ચેગોસ ટાપુ પરનો એક અભ્યાસ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં જયારે ખલેલ પહોચે ત્યારે શું થાય છે. ટાપુ પર સીબર્ડ આક્રમક શિકારી પ્રાણીઓથી મુક્ત હોવાથી, કોરલ રીફ્સ ઝડપી ફેલાય છે અને માછલીઓની સંખ્યા વધે, લાંબી ઉંમર થાય અને ઝડપી વૃદ્ધિ થાય છે.

7. પક્ષીઓ વિજ્ઞાન પ્રેરણા આપે છે

• વિમાનની તકનીક, પીંછાના પટ્ટાઓ પર મોડેલ કરાયેલા ઝિપર્સની શોધમાં, માણસોએ સદીઓથી પક્ષીઓ પાસેથી પ્રેરણા લીધી છે.
• પરંતુ પક્ષીઓ માત્ર વિચારો આપવા કરતાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
• પક્ષીઓ એ સંદેશવાહક છે જે આપણને વિશ્વના આરોગ્ય વિશે જણાવે છે.
• પક્ષીઓ વ્યાપક રીતે ફેલાયેલા છે અને પર્યાવરણમાના ફેરફારોનો ઝડપથી પ્રતિભાવ આપે છે. આના કારણે, તેઓ Climate change જેવા ખતરાઓ સામે ચેતવણી આપે છે.

આથી આપણે આપણા મિત્રો એવા પક્ષીઓ જરૂર બચાવવા જોઈએ.

2 ટિપ્પણીઓ: