લો કર લો બાત !!!
~~~~~~~~~~~~~~~~
હાથને સાફ કરવા માટે આજકાલ હેન્ડ સેનિટાઈઝરનો પ્રયોગ વધવા માંડ્યો છે. એક ટ્રેન્ડ થઈ ગયો છે માતાપિતા બાળકોને પણ સ્કુલે લઈ જવા માટે આપે છે. મહિલાઓ પણ પોતાના પર્સમાં રાખતી થઈ ગઈ છે અને પુરુષો પણ પોતાની બેગમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો આ આપણા માટે નુકશાનકારક છે. આજે આપણે તે આપણને કેવી રીતે નુકશાન પહોંચાડે છે તે જોઈએ.
1. ટ્રાઈક્લોસન
સેનિટાઈઝરમાં ટ્રાઈક્લોસન નામનું એક કેમિક્લ હોય છે જેને હાથની ત્વચાની અંદર જતું રહે છે. આનો વધારે સમય સુધીનો વપરાશ ત્વચાને સુકી બનાવી દે છે. આનાથી વાંઝિયાપણું અને હૃદય રોગ જેવી બીમારી નોતરે છે. આ કરણોથી બચવા જો તમારે હાથ ધોવાની જરૂર પળે તો રાહ જોઈને પણ સાબુ અને પાણીથી હાથની સફાઈ કરવી જોઈએ.
2. આલ્કોહોલ
આપણે જાણીએ જ છે કે બાળકો ગમે તેવી વસ્તુઓ અવારનવાર અડકે છે તે લીધે આપણે તેમને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ શીખવાડીએ છીએ. કેટલીકવાર તેઓ હેન્ડ સેનિટાઈઝરને ગળી ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે. આમાં આલ્કોહોલનું પણ પ્રમાણ હોવાના લીધે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.
3. બાળકોની ઈમ્યુનિટી ઓછી કરે
નોર્થવેસ્ટર્ન સંશોધનના સાઈન્સ ડેઈલી પ્રમાણે હેન્ડસેનિટાઈઝરના વધારે ઉપયોગના લીધે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આનો વધારે પ્રયોગ મોટાને પણ નુકશાન પહોંચાડી શકે છે.
4. ખંજવાળ
હેન્ડ સેનિટાઈઝરમાં બેંજાલ્કોનિયમ ક્લોરાઈડનું ઘટક હોય છે. આ કિટાણુ અને બેક્ટેરિયાને આપણા શરીરની બહાર કાઠી દે છે. આના લીધે બળતરા અને ખંજવાળ જેવી સ્મ્સયા પણ થાય છે.
5. સુગંધ ખતરનાક બની શકે
આમાં સુગંધ માટે ફેથલેટ્સ નામનું રસાયણ હોય છે. આ જેમાં વપરાતું હોય તેનો વારંવાર ઉપયોગ કરવાથી કિડની, લિવર, ફેફસાં તથા પ્રજનન તંત્રને નુકશાન પહોંચે છે.
6. સંપુર્ણપણે સાફ નહીં
હેન્ડસેનિટાઈઝરનો પ્રયોગ કર્યા પછી આપણે એમ જ લાગે છે કે આપણા હાથ સાફ થઈ ગયાં. પરંતુ આવું નથી હોતું. આના ઉપયોગથી ફેટ્સ અને શુગર જેવી ચીજો નથી કાઠી શકતાં. બટર પોપકોર્ન ખાધા પછી સેનિટાઈઝરનો ઉપયોગ પુરતો નથી.
7. ત્વચાને નુકશાન
હેન્ડ સેનિટાઈઝરના વધારે પડતા ઉપયોગના લીધે હાથની ત્વચા રૂક્ષ થઈ જાય છે. આથી જ્યાં પાણીથી હાથ ધોઈ શકાતા હોય ત્યાં તેનો જ ઉપયોગ હિતાવહ છે.
(સંકલિત)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો