27 ઑગસ્ટ, 2019

ગુજરાતી ભાષા અને વ્યાકરણ

❇️ શબ્દ સમૂહ માટે એક શબ્દ ❇️
📚📚📚📚📚📚📚📚📚📚📚📚

🔷 કારણ વિનાનું –નિષ્કારણ

🔷 વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

🔷 દુઃખ આપનાર – દુઃખદ

🔷 મનને મોહિત કરે તેવું – મનમોહિત

🔷 ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

🔷 પાણીમાં સમાધી લેવી
– જળસમાધી

🔷 ભજનગાનાર – ભજનિક

🔷 પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

🔷 જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

🔷 જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

🔷 સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ
– કુબેર

🔷 અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

🔷 વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

🔷 ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

🔷 જયાં  અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

➖➖➖➖➖➖➖➖➖➖➖➖🔰 દેશ ના આંતરરાષ્ટ્રીય હવાઈમથક 🔰

🔜 ઈન્દિરા ગાંધી એરપોર્ટ  ➖ નવી દિલ્હી

🔜 છત્રપતિ શિવાજી એરપોર્ટ ➖ મુંબઈ

🔜નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ ➖ કોલકાતા

🔜 અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ➖ ચેન્નાઇ

🔜 બાબાસાહેબ  એરપોર્ટ ➖ નાગપુર

🔜 સરદાર પટેલ એરપોર્ટ ➖ અમદાવાદ

🔜 ગોપીનાથ બારડોલી એરપોર્ટ ➖ ગુવાહાટી

🔜 ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ➖લખનઉ

🔜 ગુરૂ રામદાસજી એરપોર્ટ  ➖ અમૃતસર

🔜 ત્રિવેન્દ્રમ  એરપોર્ટ ➖ તિરૂવનંતપુરમ

🔜 કાલીકટ એરપોર્ટ ➖ કોઝીકોડ

🔜શેખ અલઆલમ એરપોર્ટ ➖ શ્રીનગર

🔜 રાજીવગાંધી એરપોર્ટ ➖ હૈદરાબાદ

🔜 વીર સાવરકર એરપોર્ટ ➖ પોટૅ બ્લેર

🔜 દાબોલિમ એરપોર્ટ ➖ ગોવા

🔜 કૈમ્પેગોડા એરપોર્ટ ➖ બેંગલુરુ

🔜 દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ ➖ ઈન્દોર

🔜 લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ ➖ વારાણસી
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇

✍  સરકારી નોકરી ની માહીતી  🙇શબ્દસમૂહ 🙇

👉ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
👉જાણી ન શકાય તેવુ – અજ્ઞેય
👉કમરથી ઉપરનો ભાગ – અરુણચિત્ર
👉પોતાના વખાણ પોતે જ કરવાં તે – આત્મશ્ર્લાધા
👉પોતાની જાત સાથે છેતરપિંડી – આત્મવંચના
👉ઘેરઘેર ભીખ માગવી તે – મધુકરી
👉ઉપકાર પર અપકાર કરનાર – કૃતધ્ન , નિમકહરામ , લૂણહરામ
👉ભારતબહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર – ગિરમીટ
👉આગળ વધતાં પહેલા પાછળનું જોઈ લેવું તે – સિંહાવલોકન
👉ઉત્ત્પન્ન માંથી સરકારને આપવાનો ભાગ – લેવી
👉કરેલો ઉપકાર ભૂલનાર – કૃતજ્ઞ
👉સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં – તગાવી
👉આંખ આગળ ખડું થઈ જાય તેવું – તાદૃશ
👉શું કરવું તે સૂઝે નહિ તેવી અવસ્થા – કિંકર્તવ્યમૂઢ
👉સરખી ઉમરનું – સમવયસ્ક
👉સાવ અસંભવિત હોય તેવું – આકાશકુસુમવત
👉તાકીદની સખત ઉઘરાણી – તકાજો
👉પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર – માનાર્હ
👉બે મોટા સમુદ્રને જોડનારી ખાડી –   સામુદ્રધુની
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏
*✍સાહિત્યકારોની લાક્ષણિકતા*

*✍નરસિંહ મહેતા :* ભક્ત કવિ , આદિ કવિ

*✍મીરાં :* પ્રેમદીવાની,  જનમ જનમની દાસી,નરસિંહ_ મીરાં : ખરાં ઇલ્મી ખરાં શૂરાં {કલાપી}

*✍અખો :* જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી),ઉત્તમછપાકાર

*✍પ્રેમાનંદ :*આખ્યાન શિરોમણિ, મહાકવિ,
માણભટ્ટ

*✍શામળ :* પ્રથમ પદ્યવાર્તાકાર

*✍દયારામ:* ભક્તકવિ, બંસીબોલનો કવિ (ન્હાના લાલે કહેલ ),રસીલો રંગીલો કવિ, રસિક શ્રુગાંરી કવિ, ગરબી સમ્રાટ,                      ગરબીનો પિતા (નરસિંહરાવ દિવેટીયા એ કહેલ)

*✍નર્મદ :* નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિદ્યાયક                              સર્જક, *અર્વાચીન ગદ્યનો પિતા* (ક.મા.મુનશી એ કહેલ)

*✍દલપતરામ :* લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજકવિનવલરામ પંડ્યા: આરૂઢ વિવેચક

*✍રણછોડ્ભાઈ ઉદયરામ દવે :* ગુજરાતી નાટ્કના પિતા

*✍ગોવર્ધનરામ મા. ત્રિપાઠી:* પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ

*✍મણિલાલ નભુભાઇ દ્રિવેદી* : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહનિષ્ઠ

*✍નરસિંહરાવ દિવેટીયા :* સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાની કણ્વ, જ્ઞાનબાલ

*✍રમણભાઈ નીલકંઠ*: સમર્થ હાસ્યકાર,
મકરંદ*

*✍બાલાશંકર કંથારિયા :* ગુજરાતી ગઝલના પિતા, મસ્તબાદ, કાલાંત, નિજાનંદ

*✍આનંદ્શંકર ધ્રુવ :* સમર્થ ધર્મ્ચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

*✍રમણલાલ વ. દેસાઇ:*યુગમૂર્તિ વાર્તાકાર*

*✍મણિશંકર રત્નજી ભટ્ટ:* મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક,ઉત્તમ ખંડકાવ્યોના સર્જક

*✍સુરસિંહજી તખ્તતસિંહજી ગોહેલ* , *(કલાપી:)* અશ્રુ કવિ, પ્રેમ અને આંશુના કવિ, દર્દીલા મધુરપના ગાયક,સુરતાની વાડીનો મીઠી મોરલો, મધુકર

*✍ન્હાનાલાલ :* ઉત્ત્મ ઊર્મિકાવ્યના સર્જક, પ્રેમભકિત

*✍બલવંતરાય ક. ઠાકુર :* બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, સોનેટ્ના પિતા

*✍અલેકઝાંડર ફાર્બસ:* ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી

*✍દામોદર ખુ. બોટાદકાર:* ગૃહગાયક કવિ, કુટુંબ કવિ, સૌંદર્યશી કવિ

*કાકાસાહેબ કાલેલકર:*સવાઇ ગુજરાતી ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર
*✍પં. સુખલાલજી :* પ્રજ્ઞાયક્ષ, પ્રકાંડ પંડિતર

*✍સિકલાલ પરીખ:* રોમે રોમ વિદ્યાના જીવ, મૂષિકાર

*✍ઉમાશંકર જોશી:* વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ વાસુકી

*✍ઝીણાભાઇઅ દેસાઈ ‘સ્નેહરશ્મિ’:* જીવન માંગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા

*✍ઝવેરચંદ મેઘાણી:* રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક

*✍ક.મા.મુનશી:* સ્વપ્નદ્ષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા

*✍જ્યોતીંદ્ર દવે:* પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિદ્રત્તા અન. હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ

*✍ગૌરીશંકર ગોવર્ધનરામજોશી* ‘ધૂમકેતુ’: ટૂંકી વાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર

*✍પન્નાલાલ નાનાલાલ પટેલ :* ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ  વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક

*✍રાજેંદ્ર કેશવલાલ શાહ:* કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ

*✍નિરંજન નરહરિભાઈ ભગત:* ઈબારતથી અભિવ્યકિત સુધીની સંસિદિના કવિ

*✍નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ’:* બલિષ્ઠ ભાવ અને ઉદગારના નીવડેલ કવિ

*✍ચુનીલાલ કાળીદાસ મડિયા :* ગ્રામજીવનના સમર્થ સર્જક

*✍ચંદ્રંકાંત કેશવલાલ બક્ષી :* બંડખોર સર્જક

*✍રાવજી છોટાલાલ પટેલ:* દર્દ અને અશ્રુના પ્રયોગીશીલ સર્જકર

*✍રઘુવીર દલસિહ ચૌધરી:* જીવનલક્ષી સર્જક,(લોકાયતસૂરિ', 'વૈશાખનંદન' ઉપનામ)

*✍મનુભાઈ રાજારામ પંચોળી:(દર્શક)* ઊંડી ઈતિહાસ દષ્ટિવાળા સર્જ

*✍લાભશંકર જાદવજી ઠાકર: (લઘરો  *પુનર્વસુ, )*પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક

*✍ગુણવંતરાય આચાર્ય:* સાગરજીવનના સમર્થ આલેખક

*✍પ્રહલાદ પારેખ:* સૌદ્યર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, ‘બારી બહારના કવિ’

*✍જયંતિ દલાલ:* સાહિત્યકાર અને સમાજ સેવક

*✍સ્વામી આનંદ :*(હિંમતલાલ રામચંદ દવે)* અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબધ્ધ

*✍રામનારયણ વિશ્વનાથ. પાઠક :* મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ

*✍ઈશ્વર મોતીભાઈ પેટલીકર:* ગ્રામ જીવનના આલેખક પણ અસુધારક  સર્જક

*✍રણજીતરામ વાવાભાઇ મહેતા:* ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રર્વતક
🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
✅✅✅✅ કહેવતો ✅✅✅✅

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી.
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️  પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️  વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️  કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️  વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું.

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑

🎈મસ્જિદ ના સ્તંભો વાળા ઓરડા ને
    લિવાન કેહવાય

🎈મસ્જિદ ની દીવાલ ના અંત ભાગને
    મકસુરા કેહવાય

🎈 મક્કાના કાબાની દિશામાં બનાવેલ
     નમાજ પઢવાની હોલની દીવાલ ને
     કીબલાં કેહવાય

🎈 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા
      દર્શાવતા ભાગને મહેરાબ કેહવાય

🎈 નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદ
     ના પ્રાંગણ ને સહન કેહવાય

🎈 મસ્જિદ ની અંદર આવવા જવા નો
      રસ્તો એટલે ગલિયારા 

🎈 મથુરાના જૈન મંદિર ની પ્રતિમા
    ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવ સમી છે

🎈 મહારાષ્ટ્ર ના સહ્યાદ્રી પર્વત ને કોરીને
     અજંતા ની ગુફાઓ નું નિર્માણ કરેલું છે

🎈 જૈન ધર્મ ના પવિત્ર ગ્રંથો માં ૪૫
    આગમ અને કલ્પસૂત્ર છે 

🎈 મોહેજોદડો માં ૨૦ મકાનોનો સમૂહ
    મળી આવેલો છે જેને બેરેક કહે છે

🎈 સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિ ના
    શ્રેષ્ઠ નાટ્યકાર  - મહાકવિ ભાસ

🎈 પ્રાચીન ભારતીય ચિત્રકલા ના
    પુરાવાઓ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી
   આવે  છે

🎈 ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું
     સ્થળ   - વારાણસી

🎈 લીલાં રંગની મીનાકારી માટે જાણીતું
      જયપુર અને દિલ્હી

🎈 કાળા રંગની મીનાકારી માટે હૈદરાબાદ

🎈 પર્જ્ઞા પરમિતા નું શિલ્પ ગૌતમ બુદ્ધ ની
     સાથે સબંધ ધરાવે છે

🎈 ભારત ની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા
     હબસી  ( નેગ્રીટો )

💢💢💢💢💢💢💢💢💢💢💢💢

જનરલ નોલેજ ક્વિઝ બેંક

👁‍🗨 *ગુડી પડવો* 〰 *મહારાષ્ટ્રનું નવું વર્ષ*

👁‍🗨 *બૈશાખી* 〰 *પંજાબીઓનું નવું વર્ષ*

👁‍🗨 *બેસતું વર્ષ* 〰 *ગુજરાતી, મારવાડીઓનું નવું વર્ષ*

👁‍🗨 *અષાઢી બીજ* 〰 *કચ્છીઓનું નવું વર્ષ*

👁‍🗨 *નવરેહ* 〰 *કાશ્મીરીઓનું નવું વર્ષ*

👁‍🗨 *લોસૂંગ* 〰 *સિક્કિમનું નવું વર્ષ*

2019માં મળેલ GI tag

🎓Study- step to real world🌏

📮હાલમાં 2019માં મળેલ GI tag

🌳 ઓડિશા રસગુલ્લા :- ઓડિશા

🌳 કોલ્હાપુરી ચંપલ :- મહારાષ્ટ્ર અને કર્ણાટક

🌳કંધમાલ હલદી :- ઓડિશા

🌳 મારાયુડ ગુડ(ઇક્કુડી) :- કેરળ

🌳અરોડ શહેરની હળદર :- તમિલનાડુ

🌳સિરસી સુપારી(દેશની પ્રથમ સુપારી ને મળ્યો):- કર્ણાટક

🌳 બાબાબુદંગીરી અરબીકા કોફી :- કર્ણાટક

🌳અરાકુ ખીણ અરેબીકા કોફી :- આંધ્રપ્રદેશ

🌳ચિકમગલુર અરેબીકા કોફી :- કર્ણાટક

🌳વાયનાડ રોબુસ્તાક કોફી :- કેરળ

🌳કુર્ગ અરેબીકા કોફી :- કર્ણાટક

♻️♻️♻️JAY HIND♻️♻️♻️

📮2018માં મળેલ GI tag

🌳શાહી લીચી ને જી. આઇ ટેગ મળ્યો➖બિહાર (મુઝ્ફર)

🌳 તેલંગાણા:- અદિલા બાદડૉકરા , વારાંગલ ડ્યુરીસ

🌳અસમ:- બોકાસુલ ચાવલ

🌳mp:- કડકનાથ ચિકન

🌳બિહાર:- મગહિપાન

🌳MH:- અલ્ફાંસો મેન્ગો (રત્નાગીરી)

🌳ગુજરાત:- ગીરની કેસર કેરી

🌳ભાગલપુરી જરદાલુ :- બિહાર

🌳કટારણી ચોખા:- બિહાર

🌳નિલમપુર સાગ :- કેરળ

📌GI TaG facts

🖍 પ્રથમ GI TaG:- દાર્જિલિંગ ની ચા ને મળ્યો
🖍 પ્રથમ GI store :- Goa માં ખુલ્યો

     

વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય

🌳વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય🌳

❇️બોરોન (B)❇️

- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

❇️કોપર / તાંબુ (Cu)❇️

- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

❇️લોહતત્વ (Fe)❇️

- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

❇️મેંગેનિઝ (Mn)❇️

- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

❇️મોલિબ્ડેનમ (Mo)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.

❇️નિકલ (Ni)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

❇️ ક્લોરાઇડ (Cl)❇️

- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.

24 ઑગસ્ટ, 2019

આપણા રાષ્ટ્રીય પ્રતીકો / Our national symbols

🇮🇳🇮🇳🐋🐋🐘🐘🐅🐅📝📝
મિત્રો આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું આપણા રાષ્ટ્રીય પ્રતીકો / Our national symbols
🇮🇳🇮🇳🐋🐋

👁‍🗨 આઝાદી મળ્યા પછી ભારતે પોતાનું આગવું બંધારણ બનાવાયું હતું.જેમાં દેશ ના કાયદા કાનૂન માંડીને દેશ ના રાષ્ટ્રધ્વજ,રાષ્ટ્રગાન,રાષ્ટ્રીય પક્ષી,રાષ્ટ્રીય પંચાંગ,રાષ્ટ્રીય પીણું,રાષ્ટ્રીય મીઠાઈ,રાષ્ટ્રીય વિરાસત પશુ,રાષ્ટ્રીય પ્રાણી,રાષ્ટ્રીય ફળ,રાષ્ટ્રીય પુષ્પ,રાષ્ટ્રીય નદી,રાષ્ટ્રીય રમત,રાષ્ટ્રીય જળચર....વગેરે નો સમાવેશ થાય છે.

📌✅🎯આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે માહિતી મેળવીએ.

🇮🇳🇮🇳( 1 ) ભારતીય રાષ્ટ્રધ્વજ🇮🇳🇮🇳
#  ભારતીય રાષ્ટ્રધ્વજ માં ત્રણ રંગો છે,જેને ત્રિરંગો પણ કહેવાય છે.
# સૌથી ઉપર કેશરી રંગ શૌર્ય તથા શક્તિ નું,મધ્યમાં સફેદ રંગ શાંતિ નો અને નીચે
લીલો રંગ સમૃદ્ધિ,વિકાસ નું પ્રતિક છે.
# રાષ્ટ્રધ્વજ માં મધ્યમાં બ્લ્યુ રંગ નુ 24 આરા વાળું અશોક ચક્ર સારનાથ ના સ્તંભ માંથી લેવામાં આવ્યું છે.
# રાષ્ટ્રધ્વજ માં અશોક સ્તંભ ને જગ્યાએ પહેલાં રેટીયો હતો.
# રાષ્ટ્રધ્વજ નો સ્વીકાર 22 જુલાઈ 1947
ના દિવસે થયો.
# રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન મેડમભીખાઈજી કામા દ્રારા કરવામાં આવી.
#  મેડમભીખાઈજી કામા એ 1907 માં જર્મનીના સ્તુર્તગર્ત શહેર માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
# 31 ડીસેમ્બર 1929 ના રોજ જવાહરલાલ નેહરુ એ રાવિ નદી ના કિનારે ભારત માં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
# આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન માટે" ઝંડા સમિતિ " ની રચના કરવા માં આવી,તેના અધ્યક્ષ "જે.બી.કૃપલાણી " હતા.
# આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન "
પીંગલી વેંકૈયા " દ્રારા તૈયાર કરી હતી.
# રાષ્ટ્રધ્વજ નું સન્માન જળવાય માટે "
ભારતીય ધ્વજ સંહિતા 2002 "ની રચના કરવા માં આવી.
# બંધારણ નો અનુચ્છેદ-19 ( 1 ) મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિક ની ફરજ છે,પરંતુ તેનું સન્માન જળવાવું જોઈએ .
# રાષ્ટ્રીય શોક ના સમયે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ અને કટોકટી ના સમયે રાષ્ટ્રધ્વજ ને
ઉધો ફરકાવવા માં આવે છે.

🎯( 2 ) રાષ્ટ્ર ચિહ્ન -- 🦁🦁રાજ ચિહ્ન
આપણા રાષ્ટ્રીય પ્રતીકો માં રાષ્ટ્ર ચિહ્ન -- રાજ ચિહ્ન માં " સિંહસ્તંભ " છે.
# સિંહ સ્તંભ સારનાથ માં આવેલ અશોકસ્તંભ માંથી લેવામાં આવ્યો છે.
# સિંહસ્તંભ માં ચાર સિંહ ની આકૃતિ છે,એક પાછળ હોવાથી દેખાતી નથી.
# સ્તંભ માં કુલ ચાર પ્રાણીઓ જેવા કે
સાંઢ,હાથી,ઘોડો.સિંહ નો સમાવેશ થાય છે.
# રાષ્ટ્ર ચિહ્ન ની વચ્ચે પથ્થર કોતરીને ચક્ર બનાવાયું છે,જે ધર્મચક્ર તરીકે ઓળખાય છે.
# ધર્મચક્ર નીચે " મુંડકોપનીષદ " માંથી લીધેલ સૂત્ર "સત્યમેવ જયતે"દેવનાગરી લિપિ માં લખેલ છે.
# રાષ્ટ્ર ચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો.

🇮🇳🎤( 3 )રાષ્ટ્રગાન -- 🎤જન ગણ મન.....
ભારત નું રાષ્ટ્રગાન -- જન ગણ મન..... છે.
# રાષ્ટ્રગાન ની રચના " રવીન્દ્રનાથ ટાગોરે" મૂળ બંગાળી ભાષા માં કરી હતી
# રાષ્ટ્રગાન ઈ.સ.1912 માં " તત્વબોધિની " પત્રિકા માં " ભારત ભાગ્ય વિધાતા" શિર્ષક સાથે રજુ થઇ હતી.
# રાષ્ટ્રગાન 27 ડીસેમ્બર 1911 માં કાંગ્રેસ ના કોલકાતા અધિવેશન માં ગવાયું હતું.
# રાષ્ટ્રગાન નો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો.
# રાષ્ટ્રગાન ગાવાનો સમય 52 સેકંડ નો છે,રાષ્ટ્રગાન માં 5 પદ આવેલા છે,તેનું પ્રથમ પદ અને છેલ્લું પદ જ ગવાય છે,જેની અવધી 20 સેકંડ ની છે.

🇮🇳🎤( 4 )રાષ્ટ્રગીત --🎤🇮🇳 વંદે માતરમ......
ભારત નું રાષ્ટ્રગીત -- "વંદે માતરમ" છે.
# રાષ્ટ્રગીત ની રચના " બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય " દ્રારા કરવામાં આવી હતી.
# રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત " આનંદમઠ " નવલકથા માંથી લેવામાં આવ્યું છે.
# રાષ્ટ્રગીત સર્વ પ્રથમ ઈ.સ.1896 માં કોંગ્રેસ ના કોલકાતા અધિવેશન માં ગવાયું હતું.
# રાષ્ટ્રગીત તરીકે 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર થયો.
# રાષ્ટ્રગીત ગાવાનો સમય 65 સેકંડ નો છે.
# સંસદ ના સત્ર નો આરંભ રાષ્ટ્રગાન થી થાય છે અને સમાપન રાષ્ટ્રગીત થી થાય છે.

📝( 5 )રાષ્ટ્રીય પંચાંગ📝
ભારતીય રાષ્ટ્રીય પંચાંગ તરીકે " શક સંવત " નો સ્વીકાર કરવામાં આવ્યોછે.
# " શક સંવત " ની શરૂઆત ઈ.સ.78 માં કનિષ્ક રાજા એ કરી હતી.
# " શક સંવત " નો પહેલો મહિનો " ચૈત્ર "છે,જેનો પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે.જો લીપ વર્ષ હોય તો તે દિવસ 21 માર્ચ હોય છે.
# ભારતીય કેલેન્ડર " ગ્રીગેરિયન "કેલેન્ડર ને આભારી છે.
# રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957 ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો.

🐅( 6 ) રાષ્ટ્રીય પ્રાણી -- 🐅વાઘ🐅
ભારત નું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.જેનું લેટીન નામ " પેન્થરા ટાઈગ્રીસ લીનાયસ " છે.
# દુનિયા માં 8 વાઘ ની પ્રજાતિ જોવા મળે છે,જેમાં ભારત માં જોવા મળતી પ્રજાતી નું નામ " રોયલ બેન્ગાલ ટાઈગર " છે.
# 1973 સુધી ભારત નું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું,વાઘ ઘટતી સંખ્યા ને કારણે " પ્રોજેક્ટ ટાઈગર "શરુ કરીને રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો આપ્

યો.

🦃( 7 ) રાષ્ટ્રીય પક્ષી --🦃 મોર🦃
# ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે,તેનું લેટીન નામ " પાવો ક્રીસ્ટેટસ " છે.
# ભારતીય " વન્ય સુરક્ષા અધિનિયમ-1972 " મુજબ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થયેલ છે.

🌸🍁( 8 ) રાષ્ટ્રીય પુષ્પ --🍁 કમળ🍁
ભારત નું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે.
# તેનું લેટીન નામ " નેલેમ્બો ન્યુસીપેરાગાર્ત્તન "છે.
# પ્રાચીન સમય થી કમળ ને શુભ માનવા માં આવે છે.

🍋( 9 ) રાષ્ટ્રીય ફળ -- 🍋કેરી
ભારત ની રાષ્ટ્રીય ફળ કેરી છે.
# જેનું લેટીન નામ " મેન્ગીફેર ઈન્ડીકા " છે.

🌳( 10 ) રાષ્ટ્રીય 🌳વ્રુક્ષ🌳 -- 🌳વડ
ભારત નું રાષ્ટ્રીય વ્રુક્ષ વડ છે.
# તેનું લેટીન નામ " ફાઈક્સ બેંધાલેન્સીસ " છે.

🐋( 11 ) રાષ્ટ્રીય જળચર -- 🐋ડોલ્ફિન
ભારતનું રાષ્ટ્રીય જળચર " ડોલ્ફિન "(ગંગા પાણીની) જીવ છે.
# 5 ઓક્ટોમ્બર 2009 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

🐘( 12 ) રાષ્ટ્રીય વિરાસત પશુ --🐘 હાથી
# કેન્દ્ર સરકાર દ્રારા રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે 22 ઓક્ટોમ્બર 2010 ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કરાયો છે.

( 13 ) રાષ્ટ્રીય પીણું -☕️- ચા
# ભારતીય રાષ્ટ્રીય પીણું ચા છે.

🌀( 14 ) રાષ્ટ્રીય મીઠાઈ🌀 -- જલેબી
# ભારતીય રાષ્ટ્રીય મીઠાઈ -- જલેબી છે.

પૂજા અર્ચનામાં ઉપયોગ લેવાતા બીલીપત્રનો ભગવાનને અર્પણ બાદ યોગ્ય ઉપયોગ કરવા બાબતે

પૂજા અર્ચનામાં ઉપયોગ લેવાતા બીલીપત્રનો ભગવાનને અર્પણ બાદ યોગ્ય ઉપયોગ કરવા બાબતે ।

Xovak Pharma વડોદરા ના સ્થાપક Raj Dangar જણાવે છે કે,  દેશભરમાં  શ્રાવણ માસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। લોકો શ્રાવણ માસ પર ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે દુધ, શેરડીનો રસ અને બિલીપત્ર ચઢાવે છે। આ મહિનામાં ભક્તો કરોડો બિલીપત્ર  ભગવાન ભોલેનાથને અર્પણ કરે છે પણ કોઈ દિવસ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા પછી એનો કોઈ જ ઉપયોગ કરવામાં આવતો નથી અને અતિ મૂલ્યવાન એવા બિલીપત્ર ઘણા જ વેસ્ટ થાય છે અને આપણે જાણતા નથી પણ આ બિલીપત્રો ઘણી  રીતે ઉપયોગ કરવામાં આવે છે।, ભગવાન ને અર્પણ બાદ ભગવાનને ધરાવેલ બિલીપત્રને પ્રસાદ સમજીને રોજિંદા જીવનમાં સેવન કરવામાં આવે તો વાત પિત્ત અને કફ પણ દૂર થાય છે। અલબત તે ચર્મ રોગ અને ડાયાબીટીસમાં રક્ષા આપે છે અને બ્લડ પ્રેસરમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.

આયુર્વેદ પ્રમાણે બીલીપત્ર સ્વાદમાં મધુર, તૂરી, કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, રુચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે.બિલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, દીપન, પાચન, પચવામાં ભારે તથા આમવાત, સંગ્રહણી,કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે.

બિલીનાં મૂળ તથા છાલ જ્ઞાનતંતુ રોગ શામક છે। જે હૃદયના ધબકારા વધી જવા, નિદ્રાનાશ અને ઉન્માદમાં લાભદાયક છે.એક વાત ઘણા ઓછા લોકો જાણતા હશે. બિલીનાં પાન એ ડાયાબિટીસ-મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદો આપનાર ઔષધ છે.બિલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવાં.પછી બહાર કાઢી, વાટી, વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એક થી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ઉત્તમ લાભ થાય છે.

બિલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસાવ મટે છે.ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે.

ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે એ આશીર્વાદ સમાન છે.

બીલીપત્ર એ હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવો એ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે .

બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે અને શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે અને આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમા ખૂબ લાભ થાય છે।

જો શરીરમા ગરમી વધતી ગરમીના કારણે અથવા તો મોંમાં ગરમી થવાના કારણે તેમા ચાંદા પડી જાય છે માટે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ મળે છે અને ચાંદાની સમસ્યાથી એ કાયમ માટે છૂટકારો મળે છે, પેટમાં કે આંતરડાંમા કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ એ ઝડપથી ગાયબ થઇ જાય છે।

જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે તો આવી પરિસ્થિતિમાં કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે।

બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે।

જો કોઈ વ્યક્તિને પોતાનાં લોહીને સાફ કરવું હોય તો તેના માટે તેને આ વસ્તુ બનાવવાની જરૂર છે. આ માટે તેને 50 ગ્રામ જેટલા બીલીપત્રને ગરમ પાણીમાં પલાળી-ભેળવી અને ત્યાર બાદ તેનું જ્યુસ બનાવીને પીવાથી તમારા શરીરનું લોહી એકદમ સાફ થઇ જશે। જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો. આમ સારા કોલેસ્ટ્રોલમાં પણ ખુબ જ ઉપયોગી નીવડે છે ।

જો આપણે ભગવાન પર ચડતાં બીલીપત્રનો ઉપયોગ પ્રસાદના ભાગ રૂપે સેવનમાં લેવામાં આવે તો કરોડો બીલીપત્ર બચશે અને કરોડો લોકો રોગ મુક્ત પણ બનશે.