પૂજા અર્ચનામાં ઉપયોગ લેવાતા બીલીપત્રનો ભગવાનને અર્પણ બાદ યોગ્ય ઉપયોગ કરવા બાબતે ।
Xovak Pharma વડોદરા ના સ્થાપક Raj Dangar જણાવે છે કે, દેશભરમાં શ્રાવણ માસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। લોકો શ્રાવણ માસ પર ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે દુધ, શેરડીનો રસ અને બિલીપત્ર ચઢાવે છે। આ મહિનામાં ભક્તો કરોડો બિલીપત્ર ભગવાન ભોલેનાથને અર્પણ કરે છે પણ કોઈ દિવસ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા પછી એનો કોઈ જ ઉપયોગ કરવામાં આવતો નથી અને અતિ મૂલ્યવાન એવા બિલીપત્ર ઘણા જ વેસ્ટ થાય છે અને આપણે જાણતા નથી પણ આ બિલીપત્રો ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે।, ભગવાન ને અર્પણ બાદ ભગવાનને ધરાવેલ બિલીપત્રને પ્રસાદ સમજીને રોજિંદા જીવનમાં સેવન કરવામાં આવે તો વાત પિત્ત અને કફ પણ દૂર થાય છે। અલબત તે ચર્મ રોગ અને ડાયાબીટીસમાં રક્ષા આપે છે અને બ્લડ પ્રેસરમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
આયુર્વેદ પ્રમાણે બીલીપત્ર સ્વાદમાં મધુર, તૂરી, કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, રુચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે.બિલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, દીપન, પાચન, પચવામાં ભારે તથા આમવાત, સંગ્રહણી,કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે.
બિલીનાં મૂળ તથા છાલ જ્ઞાનતંતુ રોગ શામક છે। જે હૃદયના ધબકારા વધી જવા, નિદ્રાનાશ અને ઉન્માદમાં લાભદાયક છે.એક વાત ઘણા ઓછા લોકો જાણતા હશે. બિલીનાં પાન એ ડાયાબિટીસ-મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદો આપનાર ઔષધ છે.બિલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવાં.પછી બહાર કાઢી, વાટી, વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એક થી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ઉત્તમ લાભ થાય છે.
બિલીપત્રનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસાવ મટે છે.ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે.
ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે એ આશીર્વાદ સમાન છે.
બીલીપત્ર એ હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવો એ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે .
બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે અને શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે અને આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમા ખૂબ લાભ થાય છે।
જો શરીરમા ગરમી વધતી ગરમીના કારણે અથવા તો મોંમાં ગરમી થવાના કારણે તેમા ચાંદા પડી જાય છે માટે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ મળે છે અને ચાંદાની સમસ્યાથી એ કાયમ માટે છૂટકારો મળે છે, પેટમાં કે આંતરડાંમા કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ એ ઝડપથી ગાયબ થઇ જાય છે।
જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે તો આવી પરિસ્થિતિમાં કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે।
બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે।
જો કોઈ વ્યક્તિને પોતાનાં લોહીને સાફ કરવું હોય તો તેના માટે તેને આ વસ્તુ બનાવવાની જરૂર છે. આ માટે તેને 50 ગ્રામ જેટલા બીલીપત્રને ગરમ પાણીમાં પલાળી-ભેળવી અને ત્યાર બાદ તેનું જ્યુસ બનાવીને પીવાથી તમારા શરીરનું લોહી એકદમ સાફ થઇ જશે। જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો. આમ સારા કોલેસ્ટ્રોલમાં પણ ખુબ જ ઉપયોગી નીવડે છે ।
જો આપણે ભગવાન પર ચડતાં બીલીપત્રનો ઉપયોગ પ્રસાદના ભાગ રૂપે સેવનમાં લેવામાં આવે તો કરોડો બીલીપત્ર બચશે અને કરોડો લોકો રોગ મુક્ત પણ બનશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો