*સૂર્ય ગ્રહણ સમયે કર્ક સહિતની અન્ય રાશિઓ પર પડી શકે છે ખરાબ અસર*
13 જુલાઇએ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ થશે. જુલાઇ મહિનામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ બંન્ને થશે. જો કે, ભારતમાં આ ગ્રહણ આંશિક હશે, એટલે તેનો પ્રભાવ અહીં જોવા નહી મળે. ભારતમાં તેની અસર ભલે નહીં પડે પરંતુ રાશિઓ પર તેની અસર જરૂર જોવા મળશે. 13 જુલાઇ 2018 થનાર સૂર્ય ગ્રહણની અસર દક્ષિણ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન, સ્ટીવર્ટ આઇલેંડ અને હોબાર્ટમાં જોવા મળશે.
13 જુલાઇ અમાસ્યાના દિવસે થનાર સૂર્ય ગ્રહણ અંદાજિત એક કલાક સુધી રહેશે. ભારતીય સમય અનુસાર સવારે 7વાગ્યાને 18 મિનિટ અને 23 સેકેન્ડથી શરૂ થશે અને 8 વાગ્યાને 13 મિનિટ અને 05 સેકેન્ડ સુધી તેની અસર જોવા મળશે.
આ ગ્રહણ સમયે કર્ક, મિથુન અને સિંહ રાશિ પર તેની ખરાબ અસર પડી શકે છે. આ રાશિના જાતકોને પોતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. તે દિવસે શુભ કામને ટાળવાની કોશિશ કરો અને ગ્રહણથી વચવા માટે શિવ ચાલીસાના પાઠ કરવા અને ભગવાન શિવના જાપ કરવા જોઇએ. ગરીબોને અનાજનું દાન કરો અને તે સમયે તુલસીના પાનને જમવા સાથે ખાવાથી ખૂબ જ ફાયદો થયા છે, તુલસીના પાનને સુતક પહેલા તોડી લો, કારણ કે સુતક બાદ પાનને તોડવું અશુભ મનાય છે.
1. ગ્રહણ કાળ સમાપ્ત થયા બાદ પાણીમાં ગંગાજળ મિક્ષ કરીને તે પાણીથી સ્નાન કરવાથી લાભ થાય છે.
2. તે સમય સૂર્ય મંત્રોના જાપ કરવાથી લાભ થાય છે,
3. ગ્રહણ બાદ અન્ન અને વસ્ત્રોનું દાન કરવું જોઇએ.
લેબલ સૂર્ય ગ્રહણ સમયે કર્ક સહિતની અન્ય રાશિઓ પર પડી શકે છે ખરાબ અસર* સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સૂર્ય ગ્રહણ સમયે કર્ક સહિતની અન્ય રાશિઓ પર પડી શકે છે ખરાબ અસર* સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
3 જુલાઈ, 2018
સૂર્ય ગ્રહણ સમયે કર્ક સહિતની અન્ય રાશિઓ પર પડી શકે છે ખરાબ અસર*
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)