લેબલ મિયાવાકી’ જંગલ એટલે:-સૂકા કચ્છ માં ગાઢ જંગલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મિયાવાકી’ જંગલ એટલે:-સૂકા કચ્છ માં ગાઢ જંગલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

15 ઑક્ટો, 2020

સૂકા કચ્છ માં ગાઢ જંગલ!

 ‘મિયાવાકી’ જંગલ એટલે શું?

 અકિરા મિયાવાકી નામના જાપાનના વનસ્પતિશાસ્ત્રી ઓછી જગ્યામાં વધુ વૃક્ષો લગાવી જંગલ ઉછેરવાની પદ્ધતિ વિકસાવી છે, સામાન્ય રીતે વૃક્ષો વાવતા વખતે બે વૃક્ષોની વચ્ચે તે સરખી રીતે વૃદ્ધિ પામી શકે તે માટે સારું એવું અંતર રાખવું પડતું હોય છે, પરંતુ ' મિયાવાકી' પદ્ધતિ માં માત્ર દોઢ કે બે ફૂટના અંતરે જ, નજીક-નજીક ઝાડ વાવવાના હોય છે. અહીં જે-તે સ્થાનિક, દેશી નસલના વૃક્ષો જ જવાતું હોય છે. તેથી તે સારી રીતે ઉછેરી શકે છે. સો ચો.મીટરમાં ૩૦૦થી ૫૦૦ જેટલાં નાનાં-મોટાં વૃક્ષો વાવી શકાય છે. જ્યારે સામાન્ય પદ્ધતિથી વાવેતર કરાય તો આટલી જ જગ્યામાં માત્ર ૧૦થી ૧૫ વૃક્ષોને વાવી શકાય છે. ‘મિયાવાકી’ જંગલ માં અલગ-અલગ જાતના, ઉંચાઈના વૃક્ષો એક સાથે વવાતા હોય છે. તેથી મલ્ટિ લેયર્ડ ફોરેસ્ટ બને છે. ઊંચા, સીધા, મધ્યમ અને નાના છોડ એમ અલગ-અલગ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરાય છે. મોટા ની પાસે મધ્યમ, તેની પાસે નાનું એમ અલગ સાઇઝનાં વૃક્ષો એકબીજાની પાસે વાવવાના હોય છે. જ્યારે છોડ વાવતા હોઈએ ત્યારે રોપા લગભગ સરખા કદના હોવાથી શરૂઆતના તબક્કામાં તેમને વધવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. વધુ સૂર્યપ્રકાશ મેળવવા ની હરીફાઈમાં તેની વૃદ્ધિ અન્ય પદ્ધતિ કરતાં વધુ ઝડપથી થાય છે, બે-ત્રણ વર્ષમાં તો મોટા ભાગનાં વૃક્ષ તેની પૂર્ણ ક્ષમતાએ વિકસી જાય છે. જંગલ ખૂબ ગીચ બને છે. સૂર્યકિરણ પણ તેમાં અંદર પહોંચી શકતા નથી. આથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે,
 ઘાસ જેવા અન્ય નિંદામણ થતું નથી. વૃક્ષોનાં ખરતા પાન નું ખાતર ઝડપી બને છે. આ પ્રકારના વૃક્ષો સહેલાઈથી ઉછળી જય છે. જોકે વાવેતર પહેલાં થોડું ધ્યાન રાખવું પડે છે. જે જગ્યામાં વાવેતર કરવાનું હોય તે જગ્યાએ એક મીટર ખોદીને તેના માટી બહાર કાઢો અને તેનું ટેસ્ટિંગ કરીને માટીમાં ખૂટતાં તત્વો તેમાં ઉમેરવા પડે છે. જીવામૃત, ડાંગરનો પોપડા, ઘઉંના પૂળિયા, ડાંગરનો ભૂસું, કમ્પોસ્ટ, ગોબર, બાયોમાસ વગેરે માટીમાં મેળવી છે. પછી માટી પછી તેની જગ્યાએ નંખાય છે. પછી દોઢ-બે ફૂટના અંતરે નાના નાના ખાવા બનાવે છે, તેમાં કોકોપીટ પણ નંખાય છે. તેના છોડ વવાય છે. જરૂર પડે ત્યારે ટેકો આપવા પડે છે. તેને ખાતર કે જંતુનાશક દવાઓ પણ આપવી પડતી નથી. સંપૂર્ણ ઓર્ગેનિક એવું આ જંગલ દિવસ-રાત કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન આપે છે. તે પક્ષીઓ, મધમાખી, પતંગિયા જેવા જીવો માટે તો અભયારણ્ય બની જાય છે. જૈવવિવિધતા વિકસી શકે. શરૂઆતમાં જે ખર્ચ થાય તે જ ત્યાર પછી આ જંગલ સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જાય છે. આ પદ્ધતિમાં વૃા ક્ષોની લાંબો સમય દેખરેખ રાખવી પડતી નથી. તેને બે કે ત્રણ વર્ષ જ પાણી આપવું પડે છે, જેમાં નિંદામણ પણ કરવું પડતું નથી. આ પ્રકારના જંગલનાં વૃક્ષના મૂળિયાં ના કારણે માટી વહી જતી નથી તેમ જ જમીનમાં વરસાદી પાણી ઊંડે સુધી ઊતરી જાય છે, જેના કારણે જમીનમાં ભૂગર્ભ પાણીના સ્તર ઊંચે આવે છે.