ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી 6 ડિસેમ્બર, 2018ના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડામાં આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર તરફથી શુક્રવારે બિન-અનામત જ્ઞાતિની યાદીની જાહેરાત કરવામાં આવી છે. બિન-અનામત કેટેગરીમાં આવતા સમાજને લાભ આપવા માટે આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 69 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જ્ઞાતિઓને બિન-અનામત ગણીને તેમને સરકાર તરફથી જાહેર કરવામાં આવતી સહાયનો લાભ આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી 6 ડિસેમ્બર, 2018ના રોજ એક પરિપત્ર બહાર પાડામાં આવ્યો છે.સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી કુલ 69 બિન અનામત જ્ઞાતિઓમાં હિન્દુની 42, મુસ્લિમોની 23 અને અન્ય ધર્મોની ત્રણ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એવી જ્ઞાતિઓ છે જેમનો સમાવેશ એસસી, એસટી, કે ઓબીસીમાં કરવામાં આવ્યો નથી.
બિન-અનામત હિન્દુ જ્ઞાતિઓઃ
1બ્રાહ્મણ22નાન્યેતર જાતિ (SC-ST-OBC સિવાય)
2નાગર બ્રાહ્મણ/ નાગર23પુજારા
3વળાદરા બ્રાહ્મણ24કેર
4અનાવિલ બ્રાહ્મણ25ખડાયતા
5ઔદિચ્ય બ્રાહ્મણ26ખત્રી
6તપોધન બ્રાહ્મણ27કળબી, કણબી
7મેવાડા બ્રાહ્મણ28લેઉવા પાટીદાર, પટેલ
8મોઢ બ્રાહ્મણ29કડવા પાટીદાર, પટેલ
9ગુગળી બ્રાહ્મણ30લાડ વાણિયા
10સાંચોરા બ્રાહ્મણ31શ્વેતાંબર જૈન વાણિયા
11સારસ્વત બ્રાહ્મણ32દિગંબર જૈન વાણિયા
12શ્રીમાળી બ્રાહ્મણ33લોહાણા, લવાણા, લુહાણા
13રાજપૂત, રજપૂત34મંડાલી
14ક્ષત્રિય35મણિયાર
15વાણિયા, વૈષ્ણવ શાહ36મરાઠા રાજપૂત (ગુજરાત રહેતા)
16વૈષ્ણવ વાણિયા37મહારાષ્ટ્રીયન (ગુજરાતમાં સ્થાયી થયેલા)
17ભાટિયા38દશા, વીસા જૈન
18ભાવસાર39પોરવાલ જૈન
19ભાવસાર(જૈન)40સોમપુરા, સોમપુરા બ્રાહ્મણ
20બ્રહ્મ ક્ષત્રિય41સોની, સોનાર, સુવર્ણકાર
21ક્ષત્રિય પ્રભુ42સિંધી (OBC સિવાય)
બિન-અનામત મુસ્લિમ જ્ઞાતિઓ:
1સૈયદ13મલિક (જે OBC/SEBCમાં ન હોય તે)
2બલોચ14મેમણ
3બાવચી15મોગલ
4ભાડેલા (મુસ્લિમ)16મોમિન (પટેલ)
5અલવી વોરા (મુસ્લિમ)17પટેલ (મુસ્લિમ)
6દાઉદી વોરા18પઠાણ
7સુલેમાની વોરા19કુરેશી (સૈયદ)
8મુસ્લિમ ચાકી20સમા
9જલાલી21શેખ (જે OBC/SEBCમાં ન હોય તે)
10કાગઝી (મુસ્લિમ)22વ્યાપારી (મુસ્લિમ)
11કાઝી23અત્તરવાલા
12ખોજા
બિન-અનામત અન્ય ધર્માવલંબી જ્ઞાતિઓઃ
1પારસી
2ખિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતરિત થયેલ નથી તે)
3યહુદી