28 ડિસે, 2024

દાતણ

*દાતણ* 🪵

આયુર્વેદ અનુસાર દસેક પ્રકાર ના દાતણ આવે છે જે આપણી આજુબાજુના વૃક્ષો દ્વારા સરળતાથી ઉપલબ્ધ છે.

👉 કરંજ, લીમડો, વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવળ, અશોક, ગુલર, આમળા, હરડે. આ જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ ઉપયોગી છે.

*આંબાનું દાતણ* જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.

*લીમડા નું દાતણ* હોળી પછી કરવું જોઈએ, આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ, આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે. લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવા યોગ્ય છે.

*વડ નું દાતણ* ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય. વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

*ખેર નું દાતણ* ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે.

*બાવળ નું દાતણ (દેશી બાવળ)* નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

*આમળા અને હરડે નું દાતણ* કોઈ પણ ઋતુ માં કરાય, તેનું દાતણ નિરાપદ છે. ગુલર , ખીજડો, ખેર આ પણ નિરાપદ દાતણ છે. આ સિવાય કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળાના વૃક્ષનું દાતણ કરવું જોઈએ.

*કરંજ નુ દાતણ* માત્ર કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી.

👉 આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિ નું દાતણ લેવું. સીઝન પ્રમાણે રોટેશનમાં. આ દાતણ રસદાર હોઈ એ લેવું. ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું. દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો