6 ફેબ્રુ, 2024

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શેરબજારમાં નજીકના ભવિષ્યમાં મંદી આવવાની શક્યતા

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શેરબજારમાં નજીકના ભવિષ્યમાં મંદી આવવાની શક્યતા



જેમ શેરબજારના ચાર્ટનું ટેકનિકલ એનાલિસિસ કરીને ભવિષ્યની સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે. તેમ ગ્રહોની ચાલ દ્વારા પણ ભવિષ્યનો અણસાર મળે છે. હાલ આકાશમાં જે પ્રમાણે ગ્રહો ગતિમાન છે તે પ્રમાણે આગામી એકથી દોઢ વર્ષ કારમી મંદી આવી શકે છે. નવમીથી બારમી ફેબ્રુઆરીથી શેરબજાર નીચે જવાનું શરૂ કરે એવી શક્યતા છે અને ત્યાર બાદ સતત 26મી ફેબ્રુઆરી સુધી નીચે જઈ શકે છે. 23મી કે 26મી ફેબ્રુઆરીએ શેરબજાર લો બનાવી શકે છે.
શેરબજારમાં વોલેટિલિટીનો કારક બુધ છે અને મંદીનો કારક શનિ છે. નવમી ફેબ્રુઆરીથી બુધ અસ્ત થઈ રહ્યો છે. બજારનો એ નિયમ રહ્યો છે કે જ્યારે પણ બુધ અસ્ત થાય ત્યારે બજાર તૂટે છે. નવમી ફેબ્રુઆરીએ જ્યારે બુધ અસ્ત થશે ત્યારે અમાસનો દિવસ હશે. આથી બજાર નવમી ફેબ્રુઆરીથી નીચે તરફ ગતિ કરે એવી સંભાવના છે.

12મી ફેબ્રુઆરીથી શનિ અસ્ત થાય છે. શનિ શેરબજારની ઓપનિંગ બેલ કુંડળીમાં લગ્નેશ બને છે. 12મીથી તે અસ્ત થતો હોવાથી ત્યારથી બજાર તૂટવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. ભૂતકાળમાં પણ જ્યારે લગ્નેશ અસ્ત હોય ત્યારે બજાર તૂટતું જોવામાં આવ્યું છે.
24મી ઓક્ટોબર 1929ના રોજ અમેરિકાનું માર્કેટ તૂટ્યું ત્યારે લગ્નેશ મંગળ અસ્ત હતો. 
 
16મી મે 2006ના રોજ માર્કેટ ક્રેશ થયું ત્યારે લગ્નેશ બુધ અસ્ત હતો. સેન્સેક્સ 826 પોઇન્ટ તૂટી 11,391એ પહોંચી ગયો હતો. 
 
18મી ઓગસ્ટ 2007ના રોજ માર્કેટ ક્રેશ થયો ત્યારે લગ્નેશ બુધ તો અસ્ત હતો જ. સાથે શુક્ર વક્રી અને અસ્ત હતો. સાથે શનિ પણ અસ્ત હતો. સેન્સેક્સ 3.8 ટકા તૂટ્યો હતો. 
 
17મી ડિસેમ્બર 2007ના રોજ ક્રેશ થયો ત્યારે બુધ અને ગુરુ બંને અસ્ત હતા. ફરી 3.8 ટકાનો કડાકો થયેલો. 
 
24મી ઓક્ટોબર 2008ના રોજ સેન્સેક્સ 1070 પોઇન્ટ તૂટ્યો હતો. ટકાવારીમાં 10.95 ટકા. ત્યારે લગ્નેશ મંગળ અસ્ત હતો. 
 
બે ફેબ્રુઆરી 2018ના રોજ માર્કેટ ક્રેશ થયો ત્યારે બુધ અને શુક્ર બંને અસ્ત હતા. તે બજેટનો બીજો દિવસ હતો અને સેન્સેક્સ 570 પોઇન્ટ તૂટ્યો હતો. 

 
શાસ્ત્રોક્ત ફળ પ્રમાણે શનિ કુંભમાં હોય ત્યારે એક વર્ષ તેજી કરે છે. ત્યાર બાદ દોઢ વર્ષ મંદી કરે છે. જાન્યુઆરી 2023થી શનિ કુંભમાં છે. ત્યારથી એક વર્ષ દરમિયાન આપણે બજારમાં તેજી જોઈ છે. આ ફળકથન પ્રમાણે હવે પછીના દોઢ વર્ષમાં માર્કેટમાં મંદી આવે. શાસ્ત્રોક્ત ફળ પ્રમાણે ગુરુ મેષમાં હોય ત્યારે મંદી આવે. મે મહિના સુધી ગુરુ મેષ રાશિમાં રહેવાનો છે. આથી નવમી ફેબ્રુઆરીથી પહેલી મે દરમિયાન શેરબજારમાં કડાકા થવાની તથા મંદી થવાની શક્યતા છે.


શાસ્ત્રી 🌹એવમ 🍂🌾જ્યોતિષ🕊️🪴 બંસલકુમાર🌻 જાની

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો