માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, બોડૅની પરીક્ષા આપનાર વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. આપ સૌને મારા સાચા હૃદયથી આશિવાઁદ. શુભેચ્છાઓ, શુભકામનાઓ.
-: બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખવા જેવી બાબતો :-
(1) તમે બધુંજ વાંચી તૈયાર કરેલ છે જે પરીક્ષા માં તમે સારી રીતે બરાબર લખી શકશો તેવો મનમાં સંકલ્પ કરો. (2) તમારી હોલટિકીટ ( રીસીપ્ટ) માં લખેલ પરીક્ષા નંબર બરાબર યાદ કરીલો. પરીક્ષા પૂણૅ થતાં સુધીમાં તેને સાચવજો.
(3) હોલટિકીટ ( રીસીપ્ટ) નાં સૂચનો અને જવાબ પેપર ઉપર છાપેલ સૂચનો ધ્યાનમાં રાખી તેનો બરાબર અમલ કરવો.
(4) તમારી પરીક્ષા બિલ્ડીંગ ઉપર દસ થી પંદર મિનિટ વહેલા પહોંચવાનો દરરોજ પ્રયાસ કરો.
(5) તમરી પરીક્ષા બિલ્ડીંગ અને ખંડ શોધી, બેઠક નંબર
નિહાળીલો.
(6)પરીક્ષા ખંડમાં જતાં પહેલાં પોતાની પાસે, પરીક્ષાને લગતો કોઈ કાગળ કે સામગ્રી રહે નહીં, તેની ચકાસણી કરીલો. જો ભૂલથી હોયતો પરીક્ષા ખંડમાં જતાં પહેલાં તેને બહાર કાઢી નાખો. જેથી શાંતિ પૂર્વક પેપર લખી શકાશે.
(7) પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળેથી આખું પ્રશ્નપત્ર એક વખત વાંચીને સારા આવડતા પ્રશ્નના જવાબ પહેલા લખીશકાશે. પછી તમારી ઈચ્છા અનુસાર લખો.
(8) પ્રશ્નપત્રમાં તમે લખેલ જવાબોની ટીક સવરુપે પેનથી નાનકડું ટપકું કરો. જેથી કયો પ્રશ્ન લખવાનો બાકી છે તે જાણી શકાય.
(9) ત્રણ કલાકમાં પેપર પૂરેપૂરું લખાઈજાય, તેવી ઝડપથી મુદ્દાસર, પદ્ધતિસર જવાબો લખો.
(10) દસ મિનીટનો બેલ પડતાં પહેલાં પેપર લખાઈજાય તેવું આયોજન કરી, લખેલ પેપર તપાસીલો. કોઈ ભૂલ હોયતો સુધારો કરીલો. કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો લખીલો.
(11) પેપરમાં રંગબેરંગી પેનનો ઉપયોગ ન કરો. કોઈ નિશાની કે ભગવાન, દેવીનું નામ બોડૅના નિયમ અનુસાર લખાય નહીં.
(12 ) પેપર ઉપર તમે લખેલ નંબર હોલટિકીટ, (રીસીપ્ટ ) સાથે મેળવીલો. પુરવણી વધારે હોય તો ક્રમનંબર લખો. ક્રમ પ્રમાણે ગોઠવીને પેપર સાથે બાંધીને પેપર ઉપર 1+ પુરવણી = કુલ સરવાળો લખો.
(13) પેપર આપી વષઁ ખંડ છોડતાં પોતાની પેનો, રીસીપ્ટ, સંભાળીને સુરક્ષિત જગાએ મૂકીદો.
(14) પરીક્ષાનાદિવસોમાં પેટભરીને જમશો નહીં. પરીક્ષા સમયે ઊંઘી જવાય કે ધોખાં નખવાય તેની કાળજી રાખવી.
(15) પરીક્ષાના દિવસોમાં કોઈપણ પ્રકારની માંદગી ન આવે તેમાટે સતકર્માં રહો.
(16) જે વિષયનીપરીક્ષા પૂણૅ થાય, તેની ચિંતા છોડી દેવી. હળવા ફૂલ થઇ જાઓ.
(17) આગલા દિવસે જે વિષયની પરીક્ષા હોય, તેઅંગે વિચારો. અને તેની તૈયારી કરો.
(18) રોકડીયા માકર્સના પ્રશ્નો સારી રીતે તૈયાર કરીલો. (19) પરીક્ષાના દિવસોમાં મોબાઈલની મિત્રતા હળવી કરો.
(20) બધા વિષયોની પરીક્ષા પૂણૅ થયા પછી દરેક વિષયમાં કેટલા માકર્સ મેળવી શકાશે તેનો અંદાજ કાઢવો.
(21) દસમા બોર્ડે પછી સામાન્ય પ્રવાહ, સાયંસ, કોમર્સં માં જવા માટે પોતાના મનમાં નિશ્ચય કરીને મા-બાપને જાણ કરશો.
(22) સાથે...સાથે પોતે પોતાના આવનાર જીવનને કયા વ્યવસાય માટે સજ્જ કરવું તે અંગે પણ અનેક જાણકાર, મિત્રો, સ્નેહીઓ, વડીલો પાસેથી જાણકારી મેળવો.
તમારું બધાનું પરિણામ સારું આવે. તમારું જીવન ઉજ્વળ બને તેવી પરમકૃપાળુ પરમેશ્વરને તમારા સૌ વતી પ્રાથૅના..
વિદ્યાદેવી સરસ્વતી માતા સૌને સહાય કરે તેવી, અભ્યર્થના .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો