14 ફેબ્રુ, 2022

સમાજ સેવા એટલે શું

*સમાજ સેવા એટલે શું ?*
સમાજ એટલે એક પરિવાર જ્યાં સંબંધોના મૂલ્ય જળવાય છે અને સબંધોની માવજત થાય છે 

આપણે જે સમાજમાં જન્મ લીધો છે એનું આપણા પર ઋણ છે એના વિકાસ માટે આપણે દરેકે યથાયોગ્ય યોગદાન આપવું જ જોઈએ અને સમાજવાદની વિચારધારાને સમર્થન આપવું જ જોઈએ 

સમાજનાં ચાર પાયાની જાળવણી સમાજને મજબૂત બનાવે છે 
સમાજનાં ચાર પાયામાં સંસ્કાર,સસ્કૃતિ, એકતા અને સતકર્મ સમાજનાં દરેક લોકો આનું ધ્યાન રાખે તો સમાજનો વિકાસ ચોક્કસ થાય
*સંસ્કાર એ સમાજનો પહેલો પાયો છે*
આપણા દીકરા દીકરીને આપણા જ્ઞાતિનાં સંસ્કાર આપી અને એક સુંદર પરિવાર બનાવી શકાય છે એક સફળ વ્યક્તિ બનાવી શકાય છે,આપણે આપણા સમાજનાં સારા વ્યક્તિનાં વ્યક્તિવની ચર્ચા આપણા દીકરા દીકરીની સાથે કરવી જોઈએ જેથી તેમનાં કોમળ મન ઉપર સારા વિચારોનાં અંકુર ફૂટે. 

*સમાજનો બીજો પાયો છે તેની સંસ્કૃતિ.*
સમાજનાં સિદ્ધાંતો, યોગ્ય રિવાજો,પરંપરાને સાચવી તેનું આવનાર પેઢીમાં ઉતારવું એ સંસ્કૃતિ છે. 
આપણા જ બાળકની સામે સમાજનાં માણસોની ખરાબ વાત કરશો તો બાળકને સમાજ પ્રત્યે પ્રેમ નહિ ઘૃણા ઉપજશે,અને પછી એ જ્ઞાતિ બહાર લગ્ન કરવાનું મન બનાવી લેશે.
આપણા સમાજમાં આપણા બાળકો આપણું ભવિષ્ય છે એને આપણા સમાજની હારે જકડી રાખવાનું નહિ પણ દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું શીખડાવવું જોઇયે
પહેરવેશથી લઈને રહેણી કહેણી પણ અતિશય મોર્ડન થતા જાય છે. મોર્ડન થવામાં વાંધો નથી પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલવી ના જોઈએ. 

*સમાજનો ત્રીજો પાયો એકતા* 
આ ખૂબ જ અગત્યનો પાયો છે સમાજમાં અંદરોઅંદર એકતા હોવી ખૂબ જ જરૂરી છે એક બીજાનાં વિરોધી થવા કરતા સહયોગી થશો તો સમાજનો વિકાસ થશે અંગત મતભેદ આંતરિક દ્વેષમાં સમાજની એકતા ક્યારેય તૂટવીનાં જોઈએ તોજ એ સમાજ વિકાસ તરફ હરણફાળ ભરી શકે છે , 
બાકી અંદરો અંદર વિચારધારાથી પીડાતા વ્યક્તિઓનો બનેલ સમાજ એ સમાજનાં ભાગલા પાડી સમાજને દયનિય પરિસ્થિતિમાં મૂકી અને તે સમાજનાં વિકાસ પર કદાચ પૂર્ણવિરામ પણ મૂકી શકે છે. 

*સમાજનો ચોથો પાયો છે સતકર્મ*
આપણને જે સમાજ તરફથી મળે છે એનો ઋણ ઉતારવા આપણે સમાજનું હિત ઈચ્છવું જોઈએ સમાજને ઉપયોગી થવું જોઈએ સમાજ દાતાશ્રીઓ તરફથી આવતી ભેટનો સદુપયોગ કરવો અને પારદર્શક વ્યવહાર રાખવો જોઈએ
*સમાજની કોઈ એક સંસ્થા ચાલતી હોઈ તો બીજી ના થવી જોઈએ સંસ્થાનાં વિરોધી થવા કરતા સહયોગી થવું જોઈએ* 

કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી. ગૌરવ ગુણોને કારણે આવે છે, *કાગડો રાજમહેલનાં શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં*
પારકા માટે પગથિયું ન બની શકો તો કંઇ નહિ , પણ ચાલનારનાં માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો
*કટાક્ષ બોલતા અને કટાક્ષ લખતા બધાને આવડતું હોય છે પણ સમાજને નુકશાનનાં પહોંચે એટલે સમજુ માણસો મૌન થઈ જતા હોય છે એનો મતલબ એ નથી કે એ કાયર છે પણ સમાજ પ્રત્યે એમની લાગણી એમને મૌન બનાવે છે* 

બાકી જેમને પૂરા જ કાઢવા છે એ લોકો તો દૂધમાંથી પણ કાઢવાનાં છે 

સ -- સમજદારી પૂર્વકના સંબંધની
મા -- માવજત અને
જ -- જતન. 

બસ, આ જ સમાજ છે. 

છેલ્લે બે વાત કહેવા માગું છું 

૧- સૃષ્ટિને બદલી ના શકાય પણ દ્રષ્ટિ બદલો તો સૃષ્ટિ બદલાય જશે
૨-કોઈને નડવું નહીં એ પણ બહુ મોટી સમાજ સેવા છે....
🙏🙏🙏🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો