13 ડિસે, 2021

ગાંડો બાવળ

ગાંડા બાવળના સંચાલન માટે અલગ નીતિ બનાવવી જરૂરી : રિસર્ચ પેપર

એલિયન ગણાતા ગાંડા બાવળમાં આર્થિકની સાથે પર્યાવરણ સંદર્ભની ક્ષમતા

ગાંડો બાવળ અથવા પ્રોસોપિસ જુલિફ્લોરા ( વૈજ્ઞાનિક નામ ) કે જેના લીધે કચ્છમાં સ્થિત પરંપરાગત ઘાસના મેદાનનો નાશ થયો છે . આ ઉપરાંત , આ વિસ્તારના બન્ની લોકોની રોજગારીને પણ છીનવી છે . ત્યારે , તાજેતરમાં આવેલા સંશોધન પેપરથી ગાંડા બાવળને બચાવી શકાય તો જરૂર નવાઈ લાગશે . છેલ્લા કેટલાય વર્ષોથી બન્નીના ઘાસના મેદાનોને બચાવવા માટે સ્થાનિકો માગ કરી રહ્યા છે . જો કે , તાજેતરમાં જ ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી એ બહાર પાડેલા તેના સંશોધન પેપરમાં ગાંડા બાવળની ઉપયોગીતા દર્શાવી છે . આ વૃક્ષનું નિંદણ એ લાખો લોકો માટે રોજગારી ઉભી કરવાની ક્ષમતા ધરાવે છે . બન્નીના ઈકોસિસ્ટમને બદલવામાં મોટો ભાગ ભજવી શકે છે . આ રિસર્ચ પેપર ગ્લોબલ જર્નલ ઓફ સાયન્સ ફ્રન્ટિયર રિસર્ચમાં જાહેર થયેલો છે .

સંશોધન પેપરના મતે , તેનું લાકડુ બળતણમાં અને તેમાંથી નીકળતો કોલસો વીજળી પેદા કરવામાં ઉપયોગી છે . વિશ્વના અનેક દેશોમાં ગાંડા બાવળનો વિવિધ સ્તરે ઉપયોગ થાય છે , ભારતમાં આ અંગે જાગૃતતા કેળવવાની જરૂર છે . આ અંગે નવી નીતિ બનાવીને નવી રોજગારી ઉભી કરી શકાય , પરંતુ અન્ય દેશોના અનુભવના આધારે જોઈએ તો આ શક્ય નથી . ગાંડા બાવળને એલિયન ગણીએ છીએ , પરંતુ તેનામાં આર્થિક અને પર્યાવરણ સંદર્ભની ક્ષમતા રહેલી છે . યોગ્ય આયોજન કરીએ તો , તેના લીધે આ શુષ્ક જમીન મોટી રોજગારીની તક સર્જી શકાય છે . ગાંડો બાવળ ભારતમાં કેવી રીતે આવ્યો

વર્ષ 1857માં મેક્સિકોથી ગાંડો બાવળ પહેલી વાર ભારત આવ્યો અને તે સિંધ પ્રાંત અને ઉત્તર બન્ની વિસ્તારમાં ( હાલમાં દક્ષિણ પાકિસ્તાન ) જોવા મળ્યો . આ પછી , વર્ષ 1877માં જમૈકાથી ગાંડો બાવળ આંધ્રપ્રદેશમાં લવાયો . ત્યારબાદ , મેક્સિકો , આર્જેન્ટિના અને ઉરુગ્વેમાંથી સમગ્ર ભારતમાં વિસ્તર્યો . વર્ષ 1930માં ગાંડો બાવળ થારના રણ અને કચ્છ વિસ્તારમાં જોવા મળ્યો .

ગાંડા બાવળની શિંગનો ઉપયોગ

બ્રેડ , બિસ્કિટ , સિરપ , કોફી , કોકટેલ , બ્રાંડીમાં

ખોરાકમાં ઉમેરણ

ગુંદર અને મધ માટે

વૃદ્ધો - બાળકો માટે ઉર્જાયુક્ત ટોનિક

પેરુ , ચિલી અને આર્જેન્ટિનામાં ખોરાક તરીકે

પ્રોટીન , ગ્લકોઝ , કેલ્શિયમ , થિએમિન અને રિબોફ્લેવિનથી ભરપૂર

તેનો લોટ મીઠાઈ - સિરપમાં વપરાય

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો