26 નવે, 2021

બંધારણ દિવસ(constitution day)

"બંધારણ દિવસ(constitution day)" 

આજે 26 નવેમ્બર,2019 અને આજથી 70 વર્ષ પહેલા આજનાં જ દિવસે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનું, વિશ્વનું સૌથી મોટુ લીખીત બંધારણ "ભારતની સંવિધાન સભા" દ્વારા સ્વીકારવામાં આવેલ અને જેનો સત્તાવાર અમલ 26મી જાન્યુ. 1950ના દિવસે એટલે કે જેને આપણે ગણતંત્ર/પ્રજાસત્તાક/રીપબ્લીક ડે કે દિવસ તરીકે ઓળખીએ છીએ ત્યારે થયેલ. 
પરંતું શું આપણે જાણીએ છીએ કે દુનીયાનું સૌથી મોટુ લીખીત બંધારણ રચવા પાછળ કેટલો અથાગ પરીશ્રમ રહેલો હતો, કેટલા બધા વિચક્ષણ બુધ્ધીજીવીઓનું મનોમંથન,ચીંતન, તર્ક-વીતર્ક અને નીખાલસ ચર્ચાઓ રહેલી હતી. 
જો નથી જાણતા તો આ લેખ તેમાંની અમુક રોચક જાણકારીઓ થી આપને માહીતગાર થવામાં મદદરુપ થઇ રહેશે. તો ચાલો જાણીએ ભારતીય બંધારણને સંલગ્ન અમુક રસપ્રદ માહિતીઓ...
સ્વતંત્ર ભારતને પોતાનું લીખીત બંધારણ રચવા માટેની "બંધારણીય સભા"માટેનો વિચાર અને પ્રસ્તાવ સૌ પ્રથમ ઇ.સ. 1934 માં શ્રી એમ. એન. રોય દ્વારા રાખવામાં આવેલ. ત્યાર બાદ 1946માં કેબીનેટ મીશન યોજના હેઠળ સંવિધાન સભાનાં સભ્યોને પસંદ કરવા માટે સૌ પ્રથમવાર ચુંટણી યોજવામાં આવી. ભારતીય બંધારણ રચવા માટેની બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાંથી 292 રાજ્યના પ્રતીનીધીઓ, 93 રજવાડા રાજનાં પ્રતીનીધીઓ હતા, 04 સભ્યો દિલ્હી, અજમેર-મેરવાર, કુર્ગ અને બ્રીટીશ બલુચીસ્તાનનાં હતા. ચુંટાયેલી સંવિધાન સભા પ્રથમવાર 09મી ડીસેમ્બર 1946નાં રોજ મળેલ અને અંતીવાર 24મી જાન્યુ.1950નાં દિવસે મળી હતી, આ સમયગાળામાં કુલ 11 શેશન્સ (સત્ર) યોજવામાં આવેલ હતા અને આ 11 સત્રોમાં 165 દિવસનો સમય ઉપયોગ થયેલ અને 165 દિવસોમાંથી 114 દિવસો તો બંધારણના કાચા મુસદા પર ચર્ચા કરવામાં આવેલ.  
બંધારણ બનાવવા માટે નાની-મોટી કુલ 13 કમીટીઓ બનાવવામાં આવેલ હતી અને તેમાં સહુથી અગત્યની હતી ડ્રાફ્ટીંગ કમીટી કે જેનાં કુલ 06 સભ્યો અને અધ્યક્ષ તરીકે ડૉ.ભીમરાવ આંબેડકરની નીમણુક 
તા.29-08-1947નાં રોજ કરવામાં આવેલ.
બંધારણ સભા સૌ પ્રથમવાર તા.09-12-1947નાં દિવસે મળેલ અને બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ તા. 26-11-1949નાં દિવસે સ્વીકારવામાં આવેલ, આમ
ભારતનું બંધારણ બનવામાં કુલ 2 વર્ષ, 11 મહીના અને 18 દિવસનો સમય લાગેલ. તે સમયે એવો પણ કચવાટ ઉઠેલ કે બંધારણ બનવામાં ધણો વધુ સમય લેવામાં આવેલ તો તે સંદર્ભમાં માહિતી આપવાની કે ભારતની સાથો સાથ આપણો પાડોશી દેશ પણ ઓગસ્ટ-1947માં આઝાદ થયેલ અને તેણે પણ ભારતની સાથો સાથ જ તેમનાં મુલ્કનું બંધારણ રચવાની શરુઆત કરેલ પરંતુ જ્યારે ભારતનું બંધારણ બનીને સ્વીકૃત થઇ ગયેલ ત્યારે પાડોશી દેશ બંધારણ રચવાનાં પ્રથમ ચરણમાં પણ નહોતુ પહોચ્યુ અને 1973માં એટલે કે ભારતનું બંધારણ રચાય ગયાને 26 વર્ષ બાદ સ્વીકારવામાં આવ્યુ અને આમ છતા પણ આપણે હાલ ત્યાની (પાકીસ્તાનની) લોકશાહીની પરીસ્થીતી કેવી છે તે નજરો નજર જોઇજ રહ્યા છીએ.

ભારતનું બંધારણ 26મી નવેમ્બર,1949નાં દિવસે સ્વીકારાયુ અને 26મી જાન્યુ.1950નાં દિવસથી અમલમાં આવ્યું. બંધારણ તો નવેમ્બર-1949માં બની ગયેલ તો પણ શા માટે તેનો અમલ 26મી જાન્યુ. થી કરવામાં આવ્યો અને શા માટે જાન્યુ.ની 26મી તારીખ જ પસંદ કરવામાં આવી તે બાબત પણ જાણવા જેવી છે. આઝાદીની લડતનો બહુ લાંબો સમય ચાલેલ અને તેમાં ધણા બધા બળવાઓ અને આંદોલનો પણ થયે, પણ તે બધામાં 1930નું વર્ષ ખાસ હતું કારણ કે તે વર્ષે જાન્યુઆરી માસની 26મી તારીખે લાહોર ખાતે જવાહરલાલ નહેરુ દ્વારા ભારતને પૂર્ણ સ્વરાજ રાજય જાહેર કરવામાં આવેલ અને સમગ્ર દેશમાં તે દિવસને એક અનેરા ઉત્સાહસહ તહેવારની જેમ ઉજવવામાં આવેલ અને આઝાદીનાં લડવૈયાઓ દ્વારા પૂર્ણ સ્વરાજ માટેની માંગ પ્રબળ અવાજ સાથે બ્રીટીસ શાસકો પાસે કરવામાં આવેલ અને માટે જ 26મી જાન્યુ.નાં આ મહત્વને ધ્યાને રાખીને જ સ્વતંત્ર ભારતનું બંધારણ 26મી જાન્યુ.1950થી અમલી બનાવ્યુ અને દેશને ખરા અર્થમાં પ્રજાસત્તાક બનાવ્યો. 

વર્ષ 2015 પહેલા મહત્તમ ભારતવાસીઓને 26મી નવેમ્બર શું છે અને તેનું મહત્વ શું છે? તે બાબતની ખબર જ ના હતી. પરંતું વર્ષ 2015એ ભારતીય બંધારણનાં શીલ્પકાર તરીકે જેને ઓળખવામાં આવે છે તેવા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતીનું 125મું વર્ષ હતુ અને તેની વીશેષ ઉજવણી કરવાનાં ભાગરુપે ભારતનાં માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મુંબઇ ખાતે આંબેડકર મેમોરીયલ ખાતે બનવા જઇ રહેલ ડૉ.આંબેડકરનાં "સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી"નાં શીલાન્યાસ સમયે, ભારતનાં બંધારણની રચનામાં જેમનો સીંહફાળો છે તેવા ડૉ.આંબેકરનાં ભાવી ભારત વીશેનાં ખ્યાલો અને તેમનાં વિચારોને પ્રસાર આપવા તથા આમ નાગરીકને બંધારણ અને તેનાં મુલ્યોથી વાકેફ કરવા અર્થે વર્ષ 2015થી 26મી નવેમ્બરને "બંધારણ દિવસ (Constitution day)" તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. આ અગાવ 26મી નવે. ને "કાયદા દિવસ" તરીકે ઓળખવામાં આવતો હતો. 

ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2019ની 26મી નવેમ્બરનાં રોજ બંધારણ સ્વીકૃત થયાનું 70મું વર્ષ છે અને માટે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તેને વિશેષરુપે ઉજવણી કરવાનું નીયત કરેલ છે અને તે બાબતે જરુરી સૂચના આદેશ પણ કેન્દ્ર સરકારનાં કેબીનેટ સચીવ દ્વારા દરેક રાજ્યનાં મુખ્ય સચીવને પણ આપી દેવામાં આવેલ છે. જેનાં ભાગ રુપે 26મી નવેમ્બર,2019 થી 14મી એપ્રીલ 2020 સુધી એટલે કે બંધારણનાં પિતા એવા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરનાં જન્મદિવસ સુધી, બંધારણનાં મૂળભુત ફરજોની જાગૃતી લાવવા માટે રાષ્ટ્રીય ઝુંબેશ શરુ કરવા સૂચિત કરેલ છે અને તે અનુરુપ વિવિધ કાર્યક્રમો યોજવાની પણ રુપરેખા આપેલ છે. આ સમગ્ર ઝુંબેશનું સમાપન 14મી એપ્રીલ 2020 એટલે કે "સમરસતા દિવસ" તરીકે બાબાસાહેબની જન્મજયંતીની ઉજવણીસહ કરવામાં આવશે.

ભારતીય બંધારણ બનવામાં ક્યાં તબાક્કો હતા, બંધારણ સભામાં દરેક મુદાઓ પર શું ચર્ચાઓ થયેલ વગેરે બાબતોને ચલચીત્ર સ્વરુપે "સંવિધાન" નામ 10ભાગની બનેલ સીરીયલ યુ-ટ્યુબ પર ઉપલ્બ છે જેની લીંક 
https://youtu.be/RDSr68ewVP4 (click first comment)
મુજબ છે તો વધું માહિતી મેળવવા ઇચ્છુક મીત્રો જરુર જુવે અને જે વાંચનનાં શોખીન હોય તે www. loksabhaph.nic.in/debates/constituent assembly debates પર બંધારણ સભામાં થયેલ દરેક ચર્ચાઓ લીખીત સ્વરુપમાં વાંચી શકે છે. 

અંતે...સહુને "બંધારણ દિવસ"ની શુભકામનાઓ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો