24 જાન્યુ, 2021

ધોરણ 6 (પૂરક વાચન)1. શેરીએ આવે સાદ

 *નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો : 
( 1 ) સાદ = બૂમ , અવાજ
 ( 2 ) યાદ = સ્મરણ , સ્મૃતિ
 ( 3 ) પાંદડું = પાન , પર્ણ
 ( 4 ) મોકળું = ખુલ્લું , વિશાળ
 ( 5 ) વન = જંગલ , અરણ્ય 
( 6 ) ભેરુ – સાથી , મિત્ર
       
      ********************** 



*નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
 ( 1 ) તાજું x વાસી 
( 2 ) ડોલતું x સ્થિર 
( ૩ ) ઘેરો x ફિક્કો
 ( 4 ) મોકળું x સાંકડું
 ( 5 ) કાયર x વીર
 ( 6 ) ભેરુ x શત્રુ
        
        *****************

     *  અઘરા શબ્દો લખો: (જોડણી સુધારો)

 ( 1 ) આંબાવાડિયું 
( 2 ) તાજી
 ( 3 ) ઝૂલતો
 ( 4 ) આંગણું
 ( 5 ) રંજાડ
        
         ***********************
 
 નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) વૃક્ષો તેમજ પુષ્કળ વેલીઓનાં પાંદડાંથી થયેલી ઘટા - કુંજ 
( 2 ) આંબાનાં ફૂલ - મંજરી - મોર
 ( 3 ) આંબા પર આવતી નાની કાચી કેરી – મરવો 
( 4 ) જગ્યાની છૂટવાળું - મોકળું 

            ****************

 નીચેના પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં આપો ઃ 
( 1 ) કોયલ ક્યાં બોલતી હતી ? 
ઉત્તર : કોયલ આંબાવાડીમાં બોલતી હતી. 
( 2 ) શેરી સુધી કોનો અવાજ આવે છે ? ઉત્તર ઃ શેરી સુધી કોયલનો અવાજ આવે છે .
 ( 3 ) કવિ ક્યાં જવા કહે છે ?
 ઉત્તર ઃ કવિ આંબાવાડીએ જવા કહે છે . ( 4 ) ગયા વર્ષની યાદ કયા સ્થળ સાથે સંકળાયેલી છે ?
 ઉત્તર : ગયા વર્ષની યાદ આંબાવાડી સાથે સંકળાયેલી છે .
 5 ) આંબાવાડીએ મૉર કેવી રીતે ઝૂલે છે ? 
ઉત્તર ઃ આંબાવાડીએ આંબાનું એકેય પાંદડું દેખાય નહિ એવી રીતે મૉરનો ઘટાટોપ ઝૂલે છે .
 ( 6 ) કવિએ કાવ્યમાં ‘ કાચી કેરી ” તેમજ “ અંકુર ’ માટે ક્યા શબ્દો પ્રયોજ્યા છે ? ઉત્તર: કવિએ કાવ્યમાં ‘ કાચી કેરી ' માટે ‘ મરવો ’ અને ‘ અંકુર ' માટે “ એકોર ’ શબ્દો પ્રયોજ્યા છે .
 ( 7 ) આંબાવાડીઆમાં જઈને સૌ મિત્રોએ શું કરવું છે ?
 ઉત્તર : આંબાવાડીઆમાં જઈને સૌ મિત્રોએ આંબાની ડોલતી ડાળીએ - ડાળીએ ઘુમવું છે અને આનંદમસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવવું છે . 
( 8 )બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગે છે ?
 ઉત્તર : બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે , તેથી ઘરનું આંગણું નાનું લાગે છે 
 ( 9 ) કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે ?
 ઉત્તર ઃ કવિને રમવા માટે મોકળું વન ગમે છે,કારણ કે ત્યાં કોઈની કનડગત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે. 
( 10 ) આંબાવાડીએ રમવાની મજા કોને નહિ મળે ? 
ઉત્તર : જેને આંબાની ડાળીઓ પર ચઢઊતર કરવાની બીક લાગે છે , એવાં કાયર બાળકોને આંબાવાડીએ રમવાની મજા નહિ મળે . 


( 11 ) કાવ્યમાં આંબાવાડીઆનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે ?
 ઉત્તર : આંબાવાડીઆમાં આંબા ઉપર એટલો મૉર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી . કોઈ આંબાને કુમળી કુંપળો ફૂટી છે , તો કોઈ આંબાને મરવા આવ્યા છે . મૉરની માદક ગંધથી આનંદમાં આવીને કોયલ ટહુકે છે .
        
       ***********************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો