17 જાન્યુ, 2021

12. રાવણ નુ મિથ્યાભિમાન (ગુજરાતી)(ધોરણ 6)

     સમાનાર્થી શબ્દો લખો:

( 1 ) અભિમાન = અહંકાર , ગર્વ 
( 2 ) ચાપ = ધનુષ્ય , કામઠું 
( 3 ) રાય = રાજા , નૃપ 
( 4 ) અસુર = રાક્ષસ , દૈત્ય 
( 5 ) દુઃખ = પીડા , યાતના 
( 6 ) અભિરામ = મનોહર , સુંદર
                    
               *************

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો : (
1 ) હસવું x રડવું 
( 2 ) અમર x મર્ત્ય 
( 3 ) ઊંધું x સીધું 
( 4 ) વિકટx સરળ 
( 5 ) અતિ x અલ્પ 
( 6 ) પૂર્ણ x રિક્ત , અપૂર્ણ
 ( 7 ) બળવાન x નિર્બળ
 ( 8 ) દુ : ખ x સુખ 
( 9 ) અભિમાન x નિરભિમાન
            
            **************

નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
 1 ) સ્વયંવરમાં , કન્યા પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા - વરમાળ 
2 ) નગરનો નાશ – પુરભંગ 
3 ) સંક્ટને હણનાર – સંકટહરણ
 ( 4 ) ઇન્દ્રને જીતનાર – ઇદ્રજિત 
( 5 ) શિવજીનું ધનુષ્ય – ચંબક 
6 ) રાત્રે ફરનાર – નિશાચર , રાક્ષસ
 ( 7 ) દશ માથાવાળું - દશાનન
************

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી , વાક્યમાં પ્રયોગ કરો : 
( 1 ) ચાક ચડાવવો - ગોળ ગોળ ફેરવવું વાક્ય : રાવણ બ્રહ્માંડને પણ ચાક ચડાવવા શક્તિમાન હતો . 
( 2 ) બાથ મારવી – હિંમત કરવી 
વાક્ય : ધનપતરાય મોટો ધંધો કરવા બાથ મારી પણ સફળ થયા નહિ . 
( 3 ) દાંત પીસવા – ( ગુસ્સામાં ) દાંત કચકચાવવા 
વાક્ય : ભીમે દાંત પીસીને પોતાની ગદાથી દુર્યોધન પર જોરદાર પ્રહાર કર્યો.
 ( 4 ) શ્વાસ ચઢવો – થાકી જવું 
વાક્ય : પર્વત ચઢતી વખતે ઘણાંને શ્વાસ ચઢી જાય છે .
( 5 ) પ્રસ્વેદ ચાલવો – પરસેવો પડવો 
વાક્ય : ખેડૂતનો પ્રસ્વેદ ચાલે છે ત્યારે ધાને પાકે છે .
 ( 6 ) વેર લેવું – અદાવતનો બદલો લેવો વાક્ય : વેર લેવાથી વેર શમતું નથી .
 ( 7 ) નવો અવતાર પામવો - નવું જીવન પ્રાપ્ત કરવું .
વાક્ય : હૉસ્પિટલમાં દાખલ થઈને સમયસર સારવાર લીધી તેથી એ નવો અવતા પામ્યા. 
************
અઘરા શબ્દો લખો. (જોડણી સુધારો)
( 1 )અભિમાન 
( 2 ) પૃથ્વી
 ( 3 ) રુધિર
 ( 4 ) ઇદ્રજિત
 ( 5 ) અભિરામ 
( 6 ) વસ્ત્રાભૂષણ 
( 7 ) સ્વયંવર
 ( 8 ) પ્રસ્વેદ
 ( 9 ) નિર્વાણ

***********

પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં આપો 
 
( 1 ) અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું ?
 ઉત્તર : અભિમાની રાવણે રાજા જનકને પૂછ્યું કે , “ એમણે સીતાના સ્વયંવર માટે કઈ પ્રતિજ્ઞા લીધી છે . " 
( 2 ) જનક રાજાએ રાવણને ચંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું ?
 ઉત્તર : જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને કહ્યું કે જે એ ધનુષ્યનીચાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે.
 ( 3 ) સીતાને શી ચિંતા થઈ ? 
ઉત્તરઃ રાવણને ધનુષ્ય ઊંચકવા માટે આવતો જોઈને સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઊંચકશે તો એની આબરૂ જશે .
 ( 4 ) રાવણ ઉપર ધનુષ્ય પડતાં શું થયું ? ઉત્તર : રાવણ ઉપર ધનુષ્ય પડતાં રાવણ ધનુષ્ય નીચે દબાયો અને ઘવાયો .
 ( 5 ) ધનુષ્યની નીચે દબાયેલો રાવણ , જનકને કોનો ડર બતાવે છે ? 
ઉત્તર : ધનુષ્યની નીચે દબાયેલો રાવણ , જનકને કુંભકર્ણ , ઇંદ્રજિત તેમજ રાક્ષસોનો ડર બતાવે છે . 
( 6 ) રાવણ શાથી ઝંખવાણો પડી ગયો ? ઉત્તર ઃ રાવણે એના વીસ હાથથી ધનુષ્ય ઊંચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હાલ્યું નહિ તેથી તે ઝંખવાણો પડી ગયો .
 ( 7 ) “ રાવણનું મિથ્યાભિમાન ' કાવ્યના કવિનું નામ લખો .
ઉત્તર ઃ ‘ રાવણનું મિથ્યાભિમાન ' કાવ્યના કવિનું નામ 'ગિરધર' છે . 

**********

 નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો : 
( 1 ) “ તેં શું પણ કર્યું છે ? કહે મુજને આજ . ” 
ઉત્તર : આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે .

( 2 ) કૈલાસ સરખો હલાવ્યો , કોણ માત્ર ધનુષ્ય કહેવાય ? ” 
ઉત્તર ઃ આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે . 
( ૩ ) “ હાલે નહિ રાવણ થકી , ચંબક તમારું આજ . ” 
ઉત્તરઃ આ વિધાન સીતા પ્રાર્થનારૂપે શિવપાર્વતીને કહે છે .
 ( 4 ) “ હું દબાયો છું , મને કાઢો , થાય પીડા તન . '
 ઉત્તર : આ વિદ્વાન રાવણ બોલે છે અને સ્વયંવરમાં ઉપસ્થિત સર્વે જનોને કહે છે.

**************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો