9 જાન્યુ, 2021

11. એક જાદુઈ પત્રની વાર્તા

*  11. એક જાદુઈ પત્રની વાર્તા   *


 સમાનાર્થી શબ્દો લખો : 
( 1 ) મેળ = સગવડ , સંજોગ 
( 2 ) સમજ અક્કલ , ડહાપણ 
( 3 ) અમોઘ = અચૂક , સફળ 
( 4 ) સનાતન = શાશ્વત , કાયમી
 ( 5 ) વ્યવસ્થા = બંદોબસ્ત , ગોક્વણ 
( 6 ) ઠાવકાઈ = ગંભીરતા , વિવેક 
( 7 ) અપ્રતિમ = અનુપમ , અજોડ 
( 8 ) ગભરામણ = ભય , મૂંઝવણ 

              ************

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો : 
( 1 ) મુશ્કેલ X સહેલું , સરળ 
( 2 ) સ્મિત x રુદન
 ( 3 ) શાંતિ x અશાંતિ 
( 4 ) વિવેકx અવિવેક
(5) વ્યવસ્થા x અવ્યવસ્થા
(6) પ્રવૃત્ત x નિવૃત્ત

        ************
 નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો ઃ 
( 1 ) મથાળે છાપેલાં નામ - સરનામાંવાળો કાગળ - લેટરહેડ
 ( 2 ) કોરવો - પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ – કુરુક્ષેત્ર

               **********


અભ્યાસના પ્રશ્નોત્તર

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
 ( 1 ) નિરંજન અને તેના મિત્રે ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું ?
 ઉત્તર : નિરંજન અને તેના મિત્રે રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું .
 ( 2 ) પત્ર કોણે લખ્યો હતો ?
 ઉત્તર : પત્ર નિરંજનના દૂરના કાકા વેદસાહેબે લખ્યો હતો .
 ( 3 ) વેદસાહેબ કયો હોદ્દો ધરાવે છે ? ઉત્તરઃ વેદસાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે .
 ( 4 ) ફિલ્મ જોવા માટે મૅનેજરે શી વ્યવસ્થા કરી ?
 ઉત્તર : ફિલ્મ જોવા માટે મૅનેજરે બાલ્કનીમાં બે એકસ્ટ્રા ખુરશીઓ મુકાવી .
 ( 5 ) નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી ? 
ઉત્તર : નિરંજનના મિત્રને વેદસાહેબની ઑફિસમાં , ક્લાર્ક તરીકેની નોકરી મળી . 

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર 
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ઃઃ

 ( 1 ) પત્ર જાદુઈ કેમ લાગ્યો ?
 ઉત્તર ઃ લેખક અને એનો મિત્ર નિરંજન રવિવારે સવારે સિનેમા જોવા ગયા . ને અગાઉથી ટિકિટ નહોતી લીધી અને થિયેટર હાઉસફૂલ હતું . તેમણે કોઈનાથી રો ન ઉકલે એવો એક પત્ર લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદસાહેબનો છે કહી સિનેમાગૃહના મેનેજરને આપ્યો . મૅનેજરે બાલ્કનીમાં બે વધારાની ખુરશીઓ મુુકાવીને બંને મિત્રો માટે મફતમાં બેસવાની વ્યવસ્થા કરી . આથી પત્ર જાદુઈ લાગ્યો 

 ( 2 ) નિરંજનને પત્રથી શો લાભ થયો ? ઉત્તર : નિરંજનને પત્રને કારણે મફતમાં ફિલ્મ જોવા મળી . 
( 3 ) નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો ? 
ઉત્તર:  નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી . એનો ઇન્ટરવ્યૂ હતો . મિત્ર એ જાદુઈ પત્ર લઈને ગયો . તેણે એ પત્ર પી.એ. દ્વારા કંપનીના મૅનેજરને મોકલાવ્યો . વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદસાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા . વેદસાહેબે પોતાના અક્ષર ઓળખ્યા પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહિ . આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ . આમ , નિરંજનના મિત્રે પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો .

( 4 ) વેદસાહેબ વિશે પાંચ - સાત વાક્યો લખો .( ટૂંકનોંધ લખો )
ઉત્તર : વેદસાહેબનું નામ એમ . જી . વેદ હતું . તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા . તેઓ નિરંજનના દૂરના કાકા હતા . નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટર્વ્યૂ આપવા ગયો હતો તે કંપનીમાં વેદસાહેબ મૅનેજર હતા . પત્ર તેમના જ હસ્તાક્ષરમાં હતો , છતાં તે વાંચી શક્યા નહિ . આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હતો તે પણ તેમને યાદ નહોતું . આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી . વેદસાહેબ ભલા માણસ હતા .
          
             ***************



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો