21 નવે, 2020

ભારતમાં થયેલી શ્વેત ક્રાંતિ' ના જનક ડૉ. વર્ગીસ કુરિયન


ભારતમાં થયેલી શ્વેત ક્રાંતિ' ના જનક ડૉ. વર્ગીસ કુરિયન એન.ડી.ડો.બી.(નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ) ના ચેરમેન પદેથી નિવૃત્ત થયા બાદ -પણ કાર્યરત રહ્યા. દેશમાં રહેલા પશુધન અને દૂધનો સહકારી પદ્ધતિથી વ્યાપારી ધોર રીતે ઉપયોગ કરવો તે તેમણે દેશને શીખવાડ્યું છે. આજે એન.ડી.ડી.બી. ની પ્રોડક્ટ ‘અમુલ’ ના બ્રાન્ડ નેઈમ હેઠળ આખા દેશમાં વેચાય છે. ડૉ. કુરિયને   સહકારી-ચળવળથી ૧૯૭૦ માં ઉત્પાદિત થતાં ૨૦મિલીયન ટન દૂધનું ઉત્પાદન વધારીને હાલમાં 82 મિલીયન ટન સુધી પહોંચાડી દીધું છે. તેમનાં સતત ૨૦વર્ષનાં પ્રયત્નોને કારણે દરત વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે. ગામે ગામ દૂધ સહકારી મંડલીની -રચના કરીને તેમણે ગામડાઓનું અર્થતંત્ર વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે ડૉ. કુરિયને દેશમાં દેશમાં થઇ રહેલા ખાનગીકરણની પ્રક્રિયામાં ભારતનાં દૂધ ઉત્પાદનનો 51 ટકા માર્કેટ શેર મલ્ટીનેશનલ કંપનીઓને આપી દેવાની વાતનો વિરોધ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો