13 ઑક્ટો, 2020

ચાનું તબીબી વિજ્ઞાન

ચાનું તબીબી વિજ્ઞાન

 ડૉ. લોકોનું કહેવું છે કે દારૂના વ્યસન કરતાં પણ ચા-કોફી વધારે નુકસાન કરે છે. ચા ધીમું ઝેર છે. ડૉ. વિલિયમ ટિમ્બ કહે છે કે અપચો, હૃદય દાહ, ચહેરો કરમાઈ જવી, ગભરાટ, વિષય સ્પંદનો, શિરશૂળ, અનિદ્રા વગેરે પણ ચા ને કારણે જ થાય છે. ચા ઉકાળવાથી તેમાંથી કેફીન અને ટેનિન છૂટા પડે છે. પ્રથમ કેફિન છૂટી પડે છે. અને વધુ સમય ઉકાળવામાં આવે તો ટેનિન છૂટું પડે છે. ટેનીન તત્વ જઠરની દીવાલ પર બાઝી જાય છે. અને જઠરમાંથી પાચક રસ ઝરતાં અટકાવે. નથી જેમ વધુ કડક ચા પીવા તેમ ભૂખ ઓછી લાગે.

* ઇન્ડસ્ટ્રીયલ ટાવીસ ફોલોજીકલ રિસર્ચ સેન્ટર ઇટોના ચા બનાવવાની રીત પર એક સંશોધન દરમિયાન નીચે મુજબનાં તારણો નીકળ્યાં :

 (૧) ચા વધુ સમય સુધી ઉકાળવાથી તેનાં પાંદડાંમાંથી સીસું બહાર આવવા માંડે છે જે શરીર માટે ઝેરી અને નુકસાનકર્તા છે. (૨) ઘણી વાર લકવાની અસર પણ થાય છે.

 (૩) ચામાં દૂધ જેટલું વધારે તેટલું નુકસાન ઓછું. જે ચાની પત્તી એસિડિટીને ઓછી કરે છે.
(૪) ચા બહુ ન ઉકાળવી.
 (૫) ચાની પત્તી વધુ વખત પાણીમાં રાખી મૂકવી ન જોઈએ.
 (૬) વધુ કડક ચા પીવાનો આગ્રહ ન રાખવો જોઈએ.
 વધુ ચા પીનારા બંધાણીઓ ધીમે ધીમે તેનું પ્રમાણ ઘટાડી, સંયમ રાખી ચાનું વ્યસન છોડી શકે છે. બાકી ચાનું વધુ પડતું સેવન સ્વાસ્થ માટે હાનિકારક છે. એવું લખાણ ચાના પેકેટ પર લખવાનો સમય પાકી ગયો છે.
          *****************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો