1 સપ્ટે, 2020

પ્રકૃતિ સાથે તાદાત્મ્ય

જંગલમાં એક બકરી ની પાછળ શિકારી કુતરા દોડ્યા. બકરી જીવ બચાવવા માટે દ્રાક્ષની વાડીમાં છુપાઈ ગઈ, આથી કૂતરા આગળ જતા રહ્યા.

હવે બકરી નિશ્ચિત થઈને દ્રાક્ષના વેલા પરથી પાંદડા ખાવા લાગી. ધીમે ધીમે તે બધાં પાંદડા ખાઈ ગઈ. થોડીવારમાં કૂતરા પાછા ફર્યા. પાંદડાં ન રહેવાના કારણે તેઓ બકરીને જોઈ ગયા અને તેમણે બકરી ને મારી નાખી. પોતાના સહારો આપનારને જ જે માણસ નષ્ટ કરી દે છે તેની આવી જ દુર્ગતિ થાય

છે. માણસ પણ આજે પોતાને મદદ કરનાર વૃક્ષો, પર્વતો વગેરે નુકસાન પહોંચાડી

રહ્યો છે, આથી પ્રાકૃતિક આપત્તિઓ ના રૂપમાં તેને એનું પરિણામ ભોગવવું પડે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો