28 જૂન, 2020

રેલ્વે સ્ટેશન નિબંધ

    રેલવે સ્ટેશન એક મહત્વનું સ્થળ છે. અહીં ટ્રેનો આવીને ઊભી રહે છે. જેનાથી મુસાફરો ચઢી ઉતરી શકે છે. અહીંથી માલ સામાનની હેરફેર થાય છે.
      રેલવે સ્ટેશન પર રાત દિવસ સમયે-સમયે ટ્રેનો આવજાવ કરે છે. તેમાં મુસાફરો ચડે ઉતરે છે. રેલવે સ્ટેશન નું વાતાવરણ ખુબજ રોમાંચ પમાડે તેવું હોય છે. ટ્રેનો નો ગડગડાટ એન્જિન ના હોર્ન, માઇક ઉપર ની સૂચનાઓ મુસાફરોના અવાજ વગેરેથી આ સ્થળ ઘોંઘાટ વાળું બનાવી દે છે.
     રેલવે સ્ટેશનમાં પ્રવેશતા જ અલગ-અલગ ટિકિટ બારીઓ હોય છે. વાર-તહેવારે ટિકિટ લેવા માટે પડાપડી થાય છે. કેટલાક પોલીસવાળા સાવચેતી રૂપે ત્યાં હોય છે. પ્લેટફોર્મ પર જતાં જ ખાણીપીણીના  સ્ટોર, બુક સ્ટોલ, ટી સ્ટોલ અનેક જાતના ફેરિયાઓ વસ્તુઓ વેચવા નીકળી પડે છે. આ બધામાં લાલ રંગના કુર્તા અને સફેદ પાયજામા સાથે ફરતા કુલીઓ  જોવા મળે છે .તેઓ સામાનની હેરફેર એક પ્લેટફોર્મ  પરથી બીજા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી કરે છે.
     રેલવે સ્ટેશન પર ટીકીટ ચેકર ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરે છે .તેઓ આવા લોકોને 'ખુદાબક્ષ 'કહે છે. ટ્રેન ઉપડતાંની સાથે જ કેટલાક લાગણીશીલ દ્રશ્યો જોવા મળે છે .પોતાના સ્વજનને મુકવા આવેલા લોકો આંખોમાં આંસુ સાથે વિદાય આપે છે. આવા સમયે દ્રશ્યો કરુણા ઉપજાવે છે.
     આમ, રેલ્વે સ્ટેશન દેશનું ધબકતું હૃદય જેવું હોય છે. યાત્રિકોની બધી જ સુવિધા અને સુગમ યાત્રા માટે  સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રેલવે છે.
            *****************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો