28 ફેબ્રુ, 2020

ગરબા ની "આનંદ" ગાથા

 ગરબા ની "આનંદ" ગાથા 🌻શેયર કરજો..આજે ફાગણ સુદ ત્રીજ – આનંદ ના ગરબા ની રચના ( પ્રાગટ્ય દિવસ ) તિથી.“આનંદ નો ગરબો“ આનંદ શબ્દ સાંભળતાની સાથે જ ચહેરા પર એક અનેરો આનંદ જ છવાઈ જાય છે. મનમાં એક અનેરો ઉત્સાહ ઉત્પન્ન થઈ જાય છે. માનવીના જીવનમાં આનંદની અનુભૂતિ થવાથી શોક, દુ:ખ, ભય કે વ્યાધી જોજનો દુર ચાલ્યા જાય છે. 
   આ કપટી, અટપટી, સ્વાર્થી દુનિયામાં આનંદ મેળવવા માટેનો ટૂંકો માર્ગ એટલે “ આનંદ નો ગરબો “

  👉 " *આનંદ નો ગરબો*" એટલે જ્ઞાનની ગરિમા, મનનો મહિમા, ચિત્તની ચતુરાઈ અને દિલની હૃદયથી થતી પ્રસન્નતા.
👉 " *આનંદ નો ગરબો* " એટલે શક્તિ તત્વો ના રહસ્યો નો ખજાનો.
👉 " *આનંદ નો ગરબો*" એટલે શક્તિના ઉપાસકોનું અમૂલ્ય ઘરેણું.
👉"  *આનંદ નો ગરબો* " સ્વયં આનંદ પ્રગટ કરનારી દિવ્યશક્તિ છે.

આ કલિયુગ માં આનંદ ના ગરબા ને “ *કલ્પવૃક્ષ*“ સમાન ગણવામાં આવ્યો છે.

       વાતની શરૂઆત અહીંથી થાય છે કે આપણા ગુજરાતનું અમદાવાદ શહેર અમે તેમાં આવેલું નવાપુરા ગામ. એ ગામમાં એક ભટ્ટ મેવાડા બ્રાહ્મણ શ્રીહરિરામ ભટ્ટ અને ફૂલકોરબાઈ રહેતા. તેમના ઈષ્ટદેવ એકલિંગજી મહાદેવ છે. તેમણે ૧૬૯૬- આસો સુદ આઠમ ( દુર્ગાષ્ટમી ) ના રોજ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. જેમાં એકનું નામ વલ્લભરામ અને બીજાનું નામ ધોળારામ.
           બંન્ને બાળકો જયારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને વિદ્યાભ્યાસ માટે પરમાનંદ બ્રહ્મચારી પાસે આશ્રમમાં ભણવા માટે મુકવામાં આવ્યા. પણ ખૂબ પરિશ્રમ કરવા છતાંપણ એમણે વિદ્યાભ્યાસનું જ્ઞાન આવ્યું જ નહિ. હા, બંન્ને ભાઈઓ નમ્ર, વિવેકી અને શ્રદ્ધાળુ હતા. વિદ્યાભ્યાસનું જ્ઞાન ન મળવાને લીધે ગુરુજીએ બંન્ને બાળકોને બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચરનો બીજ મંત્ર આપ્યો. અને એ છે, 

       “ *ૐ ઐં ક્લી સૌ:*

         આ મંત્ર સાથે બંન્ને બાળકો પોતાના ઘરે ગયા. બંન્ને ભાઈઓ તેમની કાલીઘેલી વાણીમાં આખો દિવસ માઁ ના બીજમંત્રનું જપ કર્યા કરતા. તેઓના માતા – પિતા જાત્રાએ ગયેલ ત્યારે માઁ બહુચર  “ *બાળા*“ સ્વરૂપે પ્રગટ થયા. માઁનું જાજરમાન તેજસ્વીરૂપ ન જોઈ શકવાના કારણે બંન્ને ભાઈઓ આંખો બંધ કરીને માઁ ને પૂછવા લાગ્યા કે આપ કોણ છો...? ત્યારે માઁ એ ભાઈઓને ઓળખ આપી કે હું તમારી માઁ છું. ત્યારબાદ બંન્ને ભાઈઓને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. માઁ ને પ્રત્યક્ષ નજરોનજર નિહાળ્યા બાદ બંન્ને ભાઈઓના હૃદય પુલકિત થઈ ગયા. અને રોમે-રોમ આનંદિત થઈ ઉઠ્યું.
         માઁ એ ફરીથી એમને કહ્યું કે માગો - માગો જે જોઈએ તે આપું. પરંતુ માઁ ના દર્શન માત્રથી જ આનંદ મળવાના કારણે બંન્ને ભાઈઓ માઁની સમક્ષ કંઈ બોલી કે કંઈ માંગી ના શક્યા. ત્યારે માઁ એ ત્રીજી વખત કહ્યું કે બેટા માગ, માંગે તે આપું. ત્યારે વલ્લભરામે માતાજીને વિનંતી કરી કે હે માઁ...!!! આપના દર્શન માત્રથી અમારા જીવનમાં આનંદ, આનંદ, અને માત્ર આનંદ જ છવાઈ ગયો છે. અમને જે આનંદ પ્રાપ્ત થયો એવો જ આનંદ સૌને મળે એવું કંઈક આપો. ત્યારે માઁ એ કહ્યું કે તમે મારા આનંદ ના ગરબા ની રચના કરો, પણ વલ્લભરામે કહ્યું કે હે માઁ...!!! અમે તો અભણ છીએ, અમને તો વિદ્યાભ્યાસનું કોઈ જ્ઞાન નથી તો કેવી રીતે ગરબાની રચના કરી શકીએ...? ત્યારે માઁ એ વલ્લભરામને કહ્યું કે હું સરસ્વતી સ્વરૂપે જીભનાં અગ્રભાગ પર બિરાજમાન થઈશ. એમ કહી માઁ એ તેમની ટચલી આંગળી વલ્લભરામની જીભના અગ્રભાગ પર મુકી ત્યારબાદ જે કંઈપણ તેમના દ્વારા રચનાઓ થઈ તે અલૌકિક અને અકાલ્પનિક છે. 

     આનંદ ના ગરબા ની રચના શ્રી વલ્લભરામે માત્ર ૧૨ વર્ષ , ૪ મહિના, ૨૬ દિવસની નાની કિશોર અવસ્થામાં *વિક્રમ સંવત ૧૭૦૯ના ફાગણ સુદ ત્રીજ (૩) ને બુધવારે કરી*.    

*અને જોગાનુજોગ આજે ફાગણ સુદ ત્રીજ તો ખરી સાથોસાથ બુધવાર પણ છે.* 

આ આનંદ નો ગરબો છેલ્લા *૩૬૭ વર્ષથી* સતત ભક્તોને આનંદ જ આપ્યા કરે છે. 

આનંદ ના ગરબા ની ૧૧૬મી પંક્તિમાં લખવામાં આવ્યું છે કે,

        “ *સંવત સતદશ સાત,* 
*નવ ફાલ્ગુન સુદે માઁ*, 

       *તિથી તૃતીયા વિખ્યાત,* 
*શુભ વાસર બુદ્ધે માઁ.*"

🤷‍♂  *આનંદ ગરબા વિશેષ* :-  🤷‍♂

👉 ૧૧૮ પદનો ગરબો જેમાં દરેકની બે પંક્તિ હોવાથી ૨૩૬ પંક્તિઓ થાય
👉 ગરબામાં ૬૭૫ શબ્દો
👉 ગરબામાં ૩૭૨૩ અક્ષરો
👉 ગરબામાં ૭ વખત “ બહુચર માઁ “ શબ્દ
👉 આ ગરબાની પ્રથમ પંક્તિ નો પ્રથમ શબ્દ “ આઈ “ છે જેનો અર્થ “ માઁ “ થાય અને ગરબાની છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ પણ “ માઁ “ જ છે.
👉 ગરબામાં ૨૪૫ વખત “ માઁ “ શબ્દ 
👉 આ ગરબાનું કેન્દ્રબિંદુ જ “ માઁ “ છે.
👉 આ ગરબામાં વેદ - પુરાણ , ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા મહાન ગ્રંથોનો સમાવેશ 
👉 આ ગરબામાં ત્રણ લોક, ત્રણ શક્તિ, કોટી કલ્પ, ચૌદ ભુવન, ચૌદ વિદ્યા, ચાર વેદ, પંચ મહાભૂત, ચાર યુગ, ત્રણ જીવ, ત્રણ વાયુ, ત્રણ ગુણ, ત્રણ દેવ, દસ અવતાર,  નવધા ભક્તિ, ધર્મ ના બે સિદ્ધાંત, ચૌદ રત્નો, ચૌર્યાશી સિદ્ધો, પાંચ પાંડવ, અઢાર પુરાણ, છ શાસ્ત્ર, ત્રણ કાળ, છ ઋતુ, છ રસ, બાર માસ, પાંચ અમૃત ( પંચામૃત ), ચાર શત્રુ, સાત ધાતુ, પાંચ રંગ, આઠ નગ ( પર્વત ), સાત સરિતા, અઢાર ભાર વનસ્પતિ, ચાર વર્ણ, ચૌદ ઇન્દ્રિયો, ચોર્યાશી લાખ જંતુઓ, નવ ખંડ, ત્રિભેટ, દસ દિશા, ચાર મંગળ, સાત સાગર, નવ ગ્રહ, દસ દિશા ના દિગપાળ ( રક્ષક ) , પાંચ પદારથ, ત્રણ દોષનો અદભૂત સમન્વય.

👉 *એક જ આસન પર બેસીને ત્રણ વખત આનંદ નો ગરબો કરવાથી “ ચંડીપાઠ “ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.*

🍋 *આનંદ નો ગરબો કરવાથી મળતું ફળ*:- 

👉નિર્ધન ને ધન પ્રાપ્ત થાય
👉રોગીઓના રોગ દુર, દુ:ખ , દર્દ દુર થાય
👉શેર માટીની ખોટ પૂરી થાય,
👉કેન્સર, ડાયાબીટીશ જેવા ભયંકર અને મોટા રોગો દુર થાય,
👉આંખ, કાન, નાક, વાચા, વાણી ની તકલીફો દુર થાય,
👉મનોવાંછિત ફળની પ્રાપ્તિ

☝ટૂંક માં એટલું કહી શકાય છે “ *આનંદ નો ગરબો*“ એટલે તન, મન ની પ્રસન્નતા, સુખ શાંતિ નો સમન્વય અને “ માઁ “ પરાશક્તિનું સાક્ષાત દર્શન.

 🤷‍♂ *ખાસ નોધ* :- 🤷‍♂

👉 આપણે સૌ ફાગણ સુદ ત્રીજને “  *આનંદ તૃતીયા* “ તિથીથી ઉજવીશું અને મનાવીશું.
👉 આપણી આજુબાજુમાં રહેતા દરેક વ્યક્તિ, દરેક સોસાયટી, મહોલ્લા, પોળ કે એરિયામાં રહેતા દરેક રહેવાસી ગરબામાં વધુમાં વધુ જોડાય , માઁ ની સ્તુતિ, પ્રાર્થના, ગરબો કરતા થાય એવા પ્રયત્નો કરીશું. જેટલા વધુમાં વધુ મંડળો બને એવા પ્રયત્નો કરીશું. 
  
    👏 માઁ બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચર આપની, આપના પરિવારની સર્વે by મનોકામના પૂર્ણ કરે એવી માઁ ને પ્રાર્થના સહ સૌને બહુચરાજી...👏

 🐅 *જય અંબે...જય બહુચર...* 🐓

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો