21 નવે, 2019

બોર્ડની પરિક્ષા છે અને વાંચેલુ ભૂલી જવાય છે? તો ફોલો કરો આજથી જ આ ટિપ્સ….

બોર્ડની પરિક્ષા છે અને વાંચેલુ ભૂલી જવાય છે? તો ફોલો કરો આજથી જ આ ટિપ્સ….                       
પૂરાણોની કેટલીક વાતો વિદ્યાર્થીઓ માટે હોય છે બહુ ઉપયોગી, નારદ પુરાણની આ વાત તમને નહીં ખ્યાલ હોય…૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓએ નારદ પૂરાણમાં કહેલ આ વાતને કંઠસ્થ કરી લેવી જોઈએ, જવળંત સફળતા મેળવવામાં આવશે બહુ કામ…
ભારત એવો દેશ છે જેની સંસ્કૃતિ સદીઓ જૂની છે. સનાતન પરંપરામાં વેદો અપને પુરાણોમાં લખાયેલ વાતોને આજની તારીખે પણ અભ્યાસ કરવામાં ઉપયોગી માનવામાં આવે છે.
તેમાં સમાવાયેલ જ્ઞાન અને ગૂઢ સંદેશાઓ વિશે અનેક સંશોધનો અને થિયરીઝ લખાય છે. નાના બાળકોથી લઈને મોટા વૈજ્ઞાનિકો અને વિદ્વાનો પણ આમાં રચાયેલ વાતોનો ઉકેલ શોધવામાં જીવનને સફળ સમજે છે.
આપણે જ્યારે આપણાં બાળકોને બુદ્ધિ અને શૌર્યની વાતો કહીએ છીએ ત્યારે અનેક પૌરાણિક કથાઓ અને પાત્રો વિશે આપણે બાળકોના મનમાં બૌધિક અને તાર્કિક વિચારણાના બીજ વાવતા હોઈએ છીએ.
એવી જ રીતે એવી જ કોઈ વાતો આપણને મળી જાય જે પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ કામની બની જાય અને તેમને અપાસ સફળતા આપવામાં મદદરૂપ થાય તો?
આવો જાણીએ, વેદો અને પુરાણોમાં કહેવાલી વાતો, જે આપણાં વિદ્યાર્થીઓને આજના સમયે પણ કામ આવે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જો આ કથનને કંઠસ્થ કરી લેશે તો તેમને જરૂર મળશે ધારેલી સફળતા..
જ્ઞાનની વાતો છુપાયેલ છે, નારદ પુરાણમાં…
નારદ મુનિ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત તેમજ પરમ જ્ઞાની હતા. તેમનું જ્ઞાન સંગ્રહ નારદ પુરાણમાં જોવા મળે છે, જેમાં ભાષા, વ્યાકરણ, ગણિત, જ્યોતિષ ઉપરાંત, કેટલીક ઉપયોગી સલાહો અને સૂચનો પણ છે જે ફક્ત સમાજના લોકો, આગેવાનો તેમજ પરિવારના સભ્યો માટે જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ એટલી જ ફાયદાકારક નીવડી શકે તેમ છે.
જો વિદ્યાર્થીઓને આ બાબતોને યાદ રાખી શકશે તો તે નિશ્ચિત છે કે તેઓ જીવનની કોઈપણ પરીક્ષામાં સફળ થઈ શકે છે અને સારા માર્ક્સ સાથે પાસ થઈ શકે છે.
આવો જાણીએ, કેટલાક મહત્વના સૂત્રો, જે દરેક વિદ્યાર્થીને મદદરૂપ થશે, સફળતા મેળવવા માટે…
અલ્પ નિંદ્રા લેવી જોઈએ…
જેમ સારા ઘોડા મધ્યરાત્રિની અડધી રાત ઊંઘે છે, તેવી જ રીતે સારા વિદ્યાર્થીઓ કે જેઓ સફળતા ઇચ્છે છે, તેઓ પણ ઊંઘના નિયંત્રણમાં ન આવવા જોઈએ.
અર્જુને નિંદ્રા પર વિજય મેળવીને શ્રેષ્ઠ ધનુર્ધારી હોવાનો પુરાવો પણ પ્રાપ્ત કર્યો હતો. એજ રીતે અલ્પ નિંદ્રાની ટેવ રાખવી જોઈએ. તેમજ જેઓ પોતાની ઊંઘ પર કાબુ મેળવી શકે છે તેમને વિજેતા સાબિત થવામાં મદદરૂપ થાય છે.
જીભ પર કાબુ રાખવો…
જેઓ પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે તેઓ માટે આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. દરેકના દિલ જીતવા અને સૌ તમારી વાતને પણ માન્ય રાખે તે માટે તમારે તમારી જીભને નિયંત્રિત રાખવી જોઈએ, એટલે કે, શબ્દો અને ભાષા ઉપર કાબુ હોય તે ખૂબજ મહત્વનું છે.
જરૂર પડે તેટલું જ બોલવું અને સાથે જીભ પર કાબુ કરવો તેના બીજા અર્થમાં જરૂર પડે તેટલું જ ખાવું એવો પણ અર્થ કરી શકાય છે.
એટલે કે તમારા અભ્યાસના સમયે ખાવા પીવાની વસ્તુઓ પર અસર ન થવા દો. સ્વાદ અને ભૂખ ઉપર પણ કાબુ કરતાં શીખી લેવું જોઈએ.
મોહ ન કરવો…
માણસનું મન એવું છે કે તેને દરેક બાબતોનો મોહ અને લોભ થાય છે. વ્યક્તિ મહેનત કરવા પહેલાં અનેક સ્વપ્નો જુએ છે. પછી તે ધન પ્રાપ્ત કરવાનો મોહ હોય કે મહિલાઓના પ્રેમનો મોહ હોય.
કોઈપણ વિદ્યાર્થી અભ્યાસના સમય પહેલાં કોઈપણ પ્રકારના મોહમાં ન ફસાઇ જવું જોઈએ, એટલે કે વિદ્યાર્થીઓએ પ્રેમ સંબંધોથી દૂર રહેવું જોઈએ. પ્રાચીન સમયમાં છોકરાઓ ગુરુ પાસે ભણવા માટે જતા હતા, તેથી નારદ મુનિએ કહ્યું છે કે સ્ત્રીઓના મોહમાં ન ફસાઇ જાઓ.
હાલમાં, નારદજીના શબ્દોનો અર્થ અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધમાં ન આવવાનો છે. એટલે જ પુરાણોમાં વિદ્યાર્થી કાળમાં ભ્રમચર્ય પાલન કરવાની બાબત લખાયેલ છે.
વિષયને ઊંડાણથી સમજવું…
વિદ્યાર્થીઓએ ગરુડ અને હંસ પક્ષી જેવા થવું જોઈએ. કારણ કે ગરુડ અને હંસની ટેવ એવી હોય છે કે તેઓ પોતાના ખોરાકની શોધમાં લાંબા અંતરની મુસાફરી કરે છે, તે જ રીતે, વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વક વાંચવું જોઈએ અને આના માટે ખૂબ દૂર સુધી અને ધ્યાનથી અભ્યાસ કરવાનો મોકો મેળવવો જોઈએ. અભ્યાસમાં આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરીને સમજવું જોઈએ.
નિયમિત અભ્યાસ કરવો જોઈએ…
એક બીજી એવી અગત્યની વસ્તુ, જે કોઈપણ વિદ્યાર્થી સમજીને તે મુજબ કરશે તો તેને જરૂર સફળતા મળશે.
તે છે, નિયમિતતા જાળવવી. જેમ કે કોઈપણ વ્યક્તિ દૈનિક રીતે દરરોજ થોડો પણ અભ્યાસ કરે તો તેને ખૂબ ઉપયોગી થાય છે જેમ કે એક ઉધઈ, દરરોજ થોડો થોડો કાદવ અને માટી ભેગી કરે છે અને ઊંચી લીટી બનાવે છે.
તે જ રીતે, નિયમિત અભ્યાસ હશે તો તમે જે કંઇ વાંચ્યું છે, તેનો ઉપયોગ તમે યોગ્ય સમયે કરી શકશો, તમારું જ્ઞાન યોગ્ય સમયે એટલે કે પરિક્ષાના સમયે તમારી જીભમાંથી તમારી પેનમાંથી તે જ રીતે વહેવાનું શરૂ કરશે, જેમ કે નદી તેના પોતાના પર પર્વત પરથી ખળખળ કરતી નીચે ઉતરી આવે છે.

16 નવે, 2019

નિવૃત્ત પ્રોફેસર , લેખક અને સંશોધનકાર ડૉ. કે. ટી. મહેતાને લંડનમાં ‘ હિન્દ રત્ન એવોર્ડ ’ એનાયત

નિવૃત્ત પ્રોફેસર , લેખક અને સંશોધનકાર ડૉ. કે. ટી. મહેતાને  લંડનમાં ‘ હિન્દ રત્ન એવોર્ડ ’ એનાયત 
        ૧૧, ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટ ‘ હાઉસ ઓફ કોમન્સ ’ ખાતે ડૉ. મહેતાને આ ઍવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઍવોર્ડ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીના ઉત્સવ પ્રસંગે આપવામાં આવેલ છે. ઇન્ડિયન સોલીડરીટી કાઉન્સિલ સાથે જોડાયેલ અને એન.આર. આઈ. વેલફેર સોસાયટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમે લંડનમાં આ ઍવોર્ડ ડૉ. મહેતાને એનાયત કરેલ છે.
        આ ઍવોર્ડ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર રોલ અને સંશોધનની કામગીરી માટે આપવામાં આવે છે. ‘ નીક અચિવર્સ હૂ ઈઝ હૂ ’ ( NIC Achievers ‘ who is who) નું બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી ધરાવતા મહાનુભાવોના બાયોડેટા છાપવામાં આવે છે. તેમાં ડૉ. મહેતાના બાયોડેટાનો સમાવેશ થાય છે. 
         આમ રાષ્ટ્રીય કક્ષાના અત્યાર સુધી ૧૦ ઍવોર્ડ મેળવનાર ડૉ. મહેતાએ રાજપીપળા-ભરુચનું  જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે ૭૫ વર્ષના સિનિયર સિટિઝન કાનની ૧૦૦ ટકા બહેરાશ અને મગજની માનસિક બીમારી હોવા છતાં કુલ ૧૦૬ પુસ્તકો તથા દેશ-વિદેશના ૨૨ સંશોધન લેખો અને ચાર સંશોધન પ્રોજેકટ ડૉ. મહેતાના છપાયા છે. હાલમાં ડૉ. મહેતાએ લખેલ ‘ વડાપ્રધાન નરેન્દ્ર મોદી–વિરાટ પુરુષ ’ના બે પુસ્તકો સુરત શ્રી હરિહર પુસ્તકાલય તરફથી પ્રકાશિત થયેલ છે, તથા ઊર્જા વિષયના ૧૫ પુસ્તકો ડિસેમ્બર ૨૦૧૯માં સુરત સાહિત્ય સંગમ તફથી બહાર પડનાર છે. છેલ્લા ૧૨ વર્ષમાં જ ૨૮ પુસ્તકો પ્રકાશિત થયા છે. આ ઉપરાંત જુલાઇ ૨૪, ૨૦૧૯ના રોજ ન્યુ દિલ્હી ખાતે ડૉ. મહેતાને ‘ ભારત ગૌરવ પુરસ્કાર’ પણ મળેલ છે. તેઓ ૬૨ વર્ષે નોકરીમાં સેવા નિવૃત્ત થયા પછી પણ સતત ૧૦ કલાક પુસ્તકોનું વાંચન-લેખન કાર્ય તથા રોજના ચાર માઈલ ચાલવું અને જીમમાં દોઢ કલાકની કસરત આ ઉંમરે પણ ચાલુ છે. સતત સંઘર્ષ છતાં પ્રવૃત્તિમય જીવન જીવવાની કળા ડૉ. મહેતા પાસેથી શીખવા જેવી છે. હાલ બીજી પીએચ.ડી ડિગ્રી માટે સંશોધન કાર્ય કરી રહ્યા છે.

8 નવે, 2019

ગીરના એક આખલાને કારણે બ્રાઝિલની ઈકોનોમી ઊંચી આવી ગઈ હતી

કુતરો બાંધી રાખવાનું આપણને ગૌરવ છે, પણ ગાયમાં શરમ આવે છે. નવી પેઢી તરીકે આપણે શાસ્ત્રોમાં લખેલી વાતને માનવા માટે તૈયાર નથી. ગાયના દૂધમાં અને ભેંસના દૂધમાં આપણને ફરક સમજાતો નથી. પણ તમનેયાદ કરાવી દઈએ કે, ભેંસનું દૂધ 9 કલાકે પચે અને ગાયનું દૂધ બે કલાકે પચે છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી આ વાત છે. આપણે ભારતના શાસ્ત્રોકહાશે તો નહીં માનીએ પણ વિદેશથી કોઈ સર્વે કરીને આવશે તો આપણે માનીશું કે, ગુજરાતની ગાયમાં આ તાકાત છે.

વિશ્વના નકશામાં કાઠિયાવાડની ગીર ગાય જેવી ભોળી અને તેના જેવી કરુણામયી ગાય બીજે ક્યાંય નથી. ઉત્તર ગુજરાતમાં કાંકરેજ ગાય અને સૌરાષ્ટ્રમાં ગીર ગાય છે. જ્યારે નવરાશનો સમય હોય ત્યારે ખાલી ઇન્ટરનેટ પર સર્ચ કરજો કે, ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી પાસે 500 જેટલી ગીર ગાય હતી. 1965માં કૃષ્ણકુમાર સિંહજી પહેલું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું અને ત્યારબાદ સીડ નામનો બ્રાઝીલનો એક વ્યક્તિ કૃષ્ણકુમાર સિંહજીનો મહેમાન થાય છે અને કહે છે કે, મહારાજ તમે મને એક એવી ભેટ આપો કે, મારો આખો દેશ તમને યાદ કરે.

તે સમયે કૃષ્ણકુમાર સિંહજીએ પુષ્પા નામની ગીર ગાયનો કૃષ્ણા નામનો આખલો સીડને ભેટમાં આપ્યો હતો અને કહ્યું હતું કે, આ આખલો લઇ જા તારો આખો દેશ બદલાઈ જશે. આ આખલાની ભેટના કારણે બ્રાઝીલના સીડે કોરો ચેક આપીને કહ્યું હતું કે, આમાં તમારે જે રકમ લખવી હોય તે લખી દો. ત્યારે મહારાજે જણાવ્યું હતું કે, હું કોઈ રકમ લખું નહીં તારે જે આપવું હોય તે આપ. મહારાજની આટલી વાત સાંભળીને સીડે 1965ના સમયમાં કૃષ્ણા નામના સાંઢના 10,000 રૂપિયા આપ્યા હતા.
સીડે આ સાંઢની મદદથી બ્રાઝીલમાં બ્રહ્માણ ગાયની નસ્લ બનાવી અને આપણે આપેલા આ એક સાંઢથી બ્રાઝીલની તસવીર બદલાઈ ગઈ અને હાલમાં 36 લાખ કરતા વધારે ગીર ગાયો ત્યાં છે. ગાય થકી બ્રાઝીલની ઈકોનોમી ઉંચી આવી ગઈ અને આજે પણ બ્રાઝીલના સંસદ ભવનની સામે એક જ સ્ટેચ્યૂ ઊભું છે, જે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર ગોહિલનું છે. બ્રાઝીલના 7 પાઉન્ડના સિક્કામાં ગીર ગાયનું ચિન્હ છે. 
બ્રાઝીલમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નામથી એક ગૌશાળા છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને એક માહિતી મેળવી લેજો કે, બ્રાઝીલની ગાય એક ટાઈમનું 48 લીટર દૂધ આપે છે. આ તાકાત છે ગીર ગાયની. આ ગાયને આપણે ભૂલી ગયા અને બ્રાઝીલની ઇકોનોમી ઉંચી આવી ગઈ.

પહેલા ઘરમાંથી સવારના સમયે ગાયની રોટલી નીકળતી હતી. જમણા હાથથી ગાયને રોટલી આપવામાં આવે અને ગાય તમારા હાથમાંથી રોટલી ચાટીને ખાય જશે એટલે ગમે તેવું અટકેલું કામ પૂર્ણ થવા તરફ આવી જાય છે. ગાયની જીભ પર વરુણ દેવ બિરાજે છે અને એ જીભ હાથને અડવાથી કોઈના પણ નબળા ભાગ્ય સારા ભાગ્યમાં પરિવર્તિત થઇ શકે છે
જસદણની અંદર ઘનશ્યામ
ભરાડનામનો એક માણસ છે, ક્યારેક તેની મુલાકાત લેજો. આ વ્યક્તિ ગાયની સેવા કરે છે અને તેની હાલની ઉમર 65 વર્ષની છે. ઘનશ્યામ ભરાડને એક હાથ નથી અને એક હાથે તેણે અત્યાર સુધીમાં 22,000 ગાયોને કતલખાનેથી બચાવી છે. આખું જીવન ઘનશ્યામ ભરાડે ગાયનું દૂધ પીધું છે અને એ ઘનશ્યામ ભરાડ કોઈનો હાથ એકવાર પકડી લે તો તેનો હાથ કોઈ છોડાવી ન શકે. કોઈ દિવસ તેણે દવા લીધી નથી. એક દિવસ ઘનશ્યામ ભરાડને ફ્લૂ જેવી અસર થઇ હતી અને તેમણે કહ્યું કે, આટલા વર્ષની ઉમરમાં મને પહેલીવાર એવું થયું કે, મારે ડૉક્ટરની પાસે જવું પડશે.

આટલા વર્ષ મેં ગાયનુ દૂધ પીધું છે અને ગૌ મૂત્રથી સ્નાન કર્યું છું એટલા માટે આટલા વર્ષમાં ક્યારેય મારે દવા લેવી પડી નથી. આ વ્યક્તિ જ્યારે ડૉક્ટરની પાસે જતા હતા તે પહેલા તેમણે પોતાની ગાયોની મુલાકાત કરવાનું મન થયું અને તે પોતાની ગૌશાળામાં ગયા હતા. ગૌશાળામાં જઈને ઘનશ્યામ ભરાડ નાની પોતડી પહેરીને ગાયોની પાસે બેસી ગયો હતો. થોડીવારમાં 50 જેટલી ગાયોએ ઘનશ્યામ ભારાડને ઘેરી લીધો અને ત્યારબાદ તેને ચાટવા લાગી હતી. આ તમામ વચ્ચે શ્વાસોશ્વાસની એવી ક્રિયા થઇ કે, ઘનશ્યામ ભરાડ 15 મિનિટના સમયમાં સારો થઇ ગયો હતો.

3 ડિસેમ્બર, 1985ના રોજ ભોપાલમાં ઝેરી ગેસ દૂર્ઘટના બની હતી. આ ઘટનામાં ઘણા લોકોને ગેસને અસર થઇ હતી, જેમાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા અને કેટલાક લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. ભોપાલની આ ઘટનામાં ઘટના સ્થળથી એક માઈલ દૂર બે ઘર આવેલા હતા જે ઘરમાં રહેતા શોહન લાલ અને એન. એલ. રાઠોડના પરિવારના એક પણ સભ્યને કંઈ થયું ન હોતું. આનું કારણ એટલું જ હતું કે, તેમના ઘરમાં સવાર અને સાંજે હવન થતો હતો. આ ઉપરાંત તેમના ઘરની દીવાલ ગાયના છાણથી બનાવવામાં આવી હતી. એટલે ગાયના છાણમાં પણ કોઈ પણ પ્રકારના રેડિએશન સામે લડવાની તાકાત છે.