19 માર્ચ, 2019

20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી

20 માર્ચ ઍટલે વિશ્વ ચકલી દિવસ. આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે ત્યારે અમદાવાદમાં એક એવી વ્યક્તિ છે જે લુપ્ત થતી ચકલીની સંખ્યામાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરે છે.

એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચી.ચી કરતી ચકલી જોવા મળતી.

જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલી જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.

ચકલીની કેટલીક બાબતો પર નજર કરીએ તો વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે

એક ચકલી રોજ ચારથી પાંચ ગ્રામ દાણા ખાય છે અને ચાર ચમચી પાણી પીવે છે. તેનુ વજન 25થી 30 ગ્રામ હોય છે. તેની લંબાઇ 22 સેમી છે. ચકલી 15 દિવસમાં ઉડતા શીખી જાય છે

ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે. ચકો મેટીંગ માટે ચકીને અવાજ કરીને બોલાવે છે પણ અવાજ પ્રદુષણને કારણે ચકી તે અવાજને સાંભળી શકતી નથી.

20 માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે.ત્યારે આ ચકલી એટલે. ચી ચી ના અવાજ સાથે સમગ્ર વાતાવરણ ને ગુંજતું કરનાર મનગમતું પક્ષી. આજકાલ ચકલી વિલુપ્ત થતું પક્ષી બન્યું છે. ત્યારે ફરીથી ગોરૈયાને આંગણે આવતી કરવા ચકલી બચાવવા ઝુંબેશ થરુ થઈ છે.

ચકલી એટલે નાના બાળકોનું મન ગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયા ની ઉપમા આપવામાં આવે છે. એજ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે.

જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ચકલીને જોઇને નહીં.પરંતુ ઘરમાં જ ચકલીની ચીચી સાંભળે તેવા પ્રયાસના ભાગ રૂપે આ માળાનું વિતરણ કરાઇ રહ્યુ છે.

ત્યારે 20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો