3 ફેબ્રુ, 2019

મહાગુજરાત ચળવળ: પ્રશ્નોત્તરી

*🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
1▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

2▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

3▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*

4▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*

5▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*

6▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*

7▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*

8▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*

9▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*

10▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*

11▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*

12▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*

13▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*

14▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*

15▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*

16▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*

17▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*

18▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*

19▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*

20▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*

21▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*

22▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*

23▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*

24▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*

25▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*

26▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*

27▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*

28▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*

29▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

30▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*

31▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

32▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*

33▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*

34▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*

➖➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો