મુંબઇઃ બોલિવુડ સુપર સ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત અચાનક જ બગડતાં તેમને તાત્કાલિક મુંબઈની પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની બિમારીનું કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ શ્વેતા બચ્ચન સહિત પરિવારના દરેક સભ્યો હાલ હોસ્પિટલમાં હાજર છે.
- બિનસત્તાવાર જાણકારી મુજબ, લીલાવતી હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે જ અમિતાભની સ્થિતિ ઘણી જ ખરાબ હતી.
- એ જોતાં તેઓ લાંબા સમયથી બિમાર હોય તેવું જણાતું હતું. અલબત્ત, હોસ્પિટલ તરફથી કે બચ્ચન પરિવાર તરફથી કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
- સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચને એન્ડોસ્કોપીની સારવાર કરાવ્યા બાદ આવતીકાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે.
- બીગ બીની સારવાર હાલ લીલાવતી હોસ્પિટલના ડો. જયંત બાર્વે કરી રહ્યા છે.
સૌજન્ય:
Divybhashker.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો