આ 7 જગ્યાઓ સ્માર્ટફોન માટે છે ખરાબ, સિગ્નલ લૉથી કનેક્ટિવિટીનું છે જોખમ
* સ્માર્ટફોન અત્યારે આપણી ડેલી લાઇફનો એક ભાગ બની ગયો છે, વ્યક્તિ ખાવાનું ભૂલી જાય પણ સ્માર્ટફોન સાથે રાખવાનું નથી ભૂલતો. દરેક જગ્યાએ સ્માર્ટફોન સાથે લઇને જાય છે, પણ કેટલીક જગ્યા એવી હોય છે જ્યાં સ્માર્ટફોન રાખવો સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી હોતો. યૂઝર્સ માટે જોખમકારક બની શકે છે.
* આ જગ્યાઓથી દુર રાખવો જોઇએ ફોન
1. ઇલેક્ટ્રૉનિક ડિવાઇસીસ પાસે
* આ રીતે થઇ શકે છે નુકશાન
ફોનને ક્યારેય પણ કોઇ ઇલેક્ટ્રૉનિક ડિવાઇસીસ પાસે ના મુકવો જોઇએ, કેમકે ઇલેક્ટ્રૉનિક ડિવાસીસમાંથી નીકળતા રેડિએશન સ્માર્ટફોનની મેગ્નેટિક અને સેન્સર સિસ્ટમને ડેમેજ કરી શકે છે. સ્માર્ટફોનમાં બિલ્ટ-ઇન એપ્સ માટે મેગ્નેટિક સેન્સર વાપરવામાં આવ્યું હોય છે, એટલું જ નહીં ફોનમાં સિગ્નલ બ્લૉક થવાના અને કનેક્ટિવિટી ફેઇલ થવાના પણ પ્રોબ્લમ આવી શકે છે.
2 ડાયરેક્ટ સન-લાઇટ
* આ રીતે થઇ શકે છે નુકશાન
ઓવરહિટીંગથી સ્માર્ટફોનના મધરબોર્ડથી લઇ બેટરી સુધીના ડેમેજીસ માટે જવાબદાર બની શકે છે. એવું નથી કે વધુવાર પ્લગઇન કે વધુ યૂઝના કારણે જ ઓવરહિટીંગ થતું હોય છે, પણ ક્યારેક તડકો કે ડાયરેક્ટ સન-લાઇટથી પણ થાય છે. સ્માર્ટફોનને ડાયેરેક્ટ સન-લાઇટ એક્સપોઝરથી બચાવવો. એક્સેસિવ હીટ ફોનની બેટરીને પણ ડેમેજ કરી શકે છે. ઘણીવાર તો અચાનક ફોનનું મધરબોર્ડ પણ ક્રેશ થઇ જાય છે. આ ઉપરાંત સન-રેજ ફોનનું સ્ક્રીન પણ ડેમેજ કરે છે.
3 મેગ્નેટ ની નજીક
આ રીતે થઇ શકે છે નુકશાન
Androidcentral forumsના એક રિપોર્ટ અનુસાર, મેગ્નેટ કે ઇલેક્ટ્રૉનિક ડિવાઇસીસની પાસે સ્માર્ટફોન મુકવાથી ફોનની NFC ચિપને નુકશાન થાય છે. સાથે સિગ્નલ પ્રોબ્લમના કારણે ઇન્ટરનેટ કનેક્શનમાં પણ પ્રોબ્લમ આવે છે. મેગ્નેટિક અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસીસ ફોનના મધરબોર્ડને પણ નુકશાન પહોંચાડે છે.
4 કારના ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં
* આ રીતે થશે નુકશાન
આમ તો કારનું ગ્લવ કમ્પાર્ટમેન્ટ પુરેપુરી પેક હોય છે, આ એવો ભાગ છે જે કારમાં સૌથી વધુ ગરમ થાય છે અને હવા બહાર કાઢે છે. તેથી આવી જગ્યાએ ફોન મુકવો ખતરનાક બની શકે છે, કેમકે અહીં કન્ટીન્યૂ ફોન મુકવાથી ઇન્ટરનલ પાર્ટ્સ ડેમેજ થાય છે.
5 ગેસ અને સ્ટવની પાસે
* આ રીતે થઇ શકે છે નુકશાન
મોબાઇલ ફોન સિસ્ટમને રેગ્યુલર ટેલિફોન સિસ્ટમ પણ કહે છે. સેલ-ફોન્સ 2.5GHzની રેન્જમાં ઇલેક્ટ્રૉમેગ્નેટિક રેડિએશ યૂઝ કરે છે. સ્માર્ટફોનમાં લાઇટ સ્પાર્ક થવાના કેસો ઘણા ઓછા સાંભળવા મળ્યા છે, પણ કિચનમાં કે ગેસની પાસે ફોન મુકવાથી સ્પાર્ક થવાનો તેમજ આગ લાગવાનો ખતરો રહે છે.
6 બાથરૂમમાં સાથે ના લઇ જવો સ્માર્ટફોન
* આ રીતે થશે નુકશાન
એક રિસર્ચ અનુસાર, ઘરમાં સૌથી વધુ બેક્ટેરિયા બાથરૂમ અને ટૉઇલેટ સીટ પર હોય છે. આવા સમયે ફોન પર બેક્ટેરિયા ચોંટી શકે છે, કેમકે બાથરૂમમાંથી બહાર આવવા દરમિયાન હાથ-મોં તો સાફ કરી લો છો, પણ ફોનને સાફ કરવા તેને ધોઇ નથી શકતા. એટલે સારું એ છે કે, ફોનને બાથરૂમમાં ના લઇ જવો જોઇએ, તેનાથી હેલ્થ પર અસર પડી શકે છે.
7 ફ્રિઝથી દુર રાખો ફોન
* આ રીતે થઇ શકે છે નુકશાન
કેટલાક લોકોનું માનવું છે કે, ફોનને ઓવરહિટીંગથી બચાવવા માટે થોડો સમય ફ્રીઝમાં મુકી દેવો જોઇએ. ફોન માટે વધારે ગરમ અને વધારે ઠંડુ બન્ને વાતાવરણ ખતરનાક છે. ફ્રિઝમાં ફોન મુકવાથી બેટરી ફૂલવાના કે ડેમેજ થવાના ચાન્સિચ છે.
सौजन्य:
दिव्यभास्कर वेबसाइट से
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો