28 જૂન, 2021

2. હિંદ માતા ને સંબોધન

શબ્દાર્થ-
 
દેવભૂમિ - પવિત્ર ભૂમિ 
વિશ્વાસ - ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ; 
જિન - જૈન 
બક્ષી - આપી 
તવંગર -પૈસાદાર 
નિરક્ષર -અભણ
 સાહો- મદદ કરો 
પરસ્પર - એકબીજાને . 

 વિરુદ્ધાર્થી શબ્દો

  ( 1 ) જ્ઞાની x અજ્ઞાની
 ( 2 ) નીરોગી× રોગી 
( 3 ) તવંગર x નિર્ધન
 ( 4 ) ઉચ્ચ x નીચ
( 5 ) સમાન x અસમાન
 ( 6 ) સાક્ષર x નિરક્ષર 


*બહુવિકલ્પ પ્રશ્નોત્તર

 - નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
 ( 1 ) ‘ હિંદમાતાને સંબોધન ' કાવ્યના કવિ કોણ છે ?
 જ. કાંત
 ( 2 ) હિંદને કેવી ભૂમિ કહેવામાં આવી છે ? 
જ. પવિત્ર
 3) સંતાનો ભેગા મળીને શું કરે છે ? 
જ.વંદન 
( 4 ) હિંદમાતા આપણને કેવી રીતે પોષે છે ? 
જ.( A ) શુભ ખાનપાન આપીને 
 ( 5 ) નીચેના શબ્દની સાચી જોડણી જણાવો . 
જ. વાલ્મીકિ
 ( 6 ) નિર્ધન’નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો .
જ. તવંગર
  ( 7 ) કાવ્યમાં આવતા દેવભૂમિ ’ શબ્દનો શો અર્થ થાય છે ?
 જ. પવિત્ર ભૂમિ 
 ( 8 ) ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે આ કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે ?
 જ. વિશ્વાસી 
 ( 9 ) “ મદદ કરો ’માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? 
જ. સાહો
 ( 10 ) “ હિંદુ અને  મુસલમાનઃ વિશ્વાસી , ________જિન:-શબ્દ ક્યો છે ? . … ... , જિનઃ ' - આ પંક્તિમાં ખૂટતો અક્ષર કયો છે?
 જ. પારસી
 

* નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : 

( 1 ) આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ? 
જ*આ કાવ્ય હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ એટલે કે હિંદમાતાને સંબોધીને લખાયું છે .
 ( 2 ) હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
જ* સરસ , પૌષ્ટિક ખાન - પાન એટલે કે ભોજન અને પાણી આપીને હિંદમાતા સંતાનોનું પોષણ કરે છે . 
( 3 ) આ કાવ્યમાં ક્યો ભાવ રજૂ થયો છે ?
જ* આ કાવ્યમાં હિન્દુસ્તાનમાં રહેનાર સૌ સમાન છે , તેમની વચ્ચે ઊંચ - નીચ કે એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી . સૌએ પરસ્પર પ્રેમ રાખવો તથા એકબીજાની મદદ કરવી જોઈએ . સૌ હિંદમાતાના સંતાનો છે એ ભાવ રજૂ થયો છે . 
            
સ્વાધ્યાય

1 . નીચેના પ્રશ્નોના ઉત્તર આપો 

 ( 1 ) ભારતમાં ક્યા ક્યા ધર્મ પાળતી પ્રજા વસે છે ? જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ખ્રિસ્તી , પારસી , જૈન , બૌદ્ધ  ધર્મ પાળતી પ્રજા વસે છે .
 ( 2 ) ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
જ. જે રીતે માતા બાળકનું પોષણ કરે છે , એ રીતે ધરતીમાતા પણ જીવનને જરૂરી એવાં તત્ત્વો , ખોરાક અને પાણી આપે છે . તે સૌને સમાન રીતે રાખે છે . એકસરખો પ્રેમ આપે છે . માતા પવિત્ર છે . તેથી કવિ ભારતભૂમિને પણ માતા તરીકે સંબોધે છે . 
( 3 ) ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ? 
જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન , પારસી , બૌદ્ધ વગેરે ધર્મો પાળતી પ્રજા વસે છે . સૌ કોઈ પણ પ્રકારની ભેદભાવ વગર , સંપીને પ્રેમપૂર્વક રહે છે . નાત - જાત કે અમીરી - ગરીબીના ભેદભાવ અહીં નથી , તેથી ભારતમાં વસતી પ્રજાને કવિ એકસમાન ગણે છે . 




14 જૂન, 2021

એક બોધકથા*ઘડપણ નું વસાણુ*

એક બોધકથા..👌👌👌👌

॥~॥~॥ *ઘડપણ નું વસાણુ.* ॥~॥~॥

Story about FINANCIAL PLANNING.
       
*જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય, અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે, અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો.*

*ત્યાંના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય, અને એનું જીવન સમાપ્ત થઇ જાતું*
         
*પ્રજામાંથી રાજાની નિમણુંક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા !*
*પાંચ વર્ષ સુધી એ રાજા રહેતો!*

*અપાર જાહોજલાલી, અને એશો આરામની જિંદગી, પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે, પણ નવો રાજા એને ન સાંભળે.* 
        
*એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ, અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા, એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’*

*સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારે બાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો, અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો, કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!* 
        
*નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો, ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા, અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલો રાજા છો કે... આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો ? તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’*

*રાજા કહે, ‘તારી વાત સાચી છે!*
*તેં મને સાચો ઓળખ્યો!*

*ચાલ, તને પૂરી વાત કહું’:* 
      
*જે દિવસે હું રાજા બન્યો, ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો, ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા.*

*જો ભાઈ, ધ્યાનથી સાંભળ...તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!*’  
       
*દોસ્ત, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ મહાલતા રહ્યા ! પણ હું જાણતો હતો, કે ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી નિવૃત્તિ અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું, તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો કેરિયરની શરૂઆતના ૧૦-૧૫ વર્ષ કરક્સરથી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું, તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ નહીં આવે* 
 
*卐ॐ卐 કથાસાર.......卐ॐ卐* 
   
*દોસ્તો... પ્લાનિંગ માટે તમારી આવકમાંથી સૌ પ્રથમ બચત, અને ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરજો.*
        
*તમારી કમાણીના (૨૫) વરસોમાં ૬૦ વર્ષ નિવૃત્તિ પછીની બાકીની જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે.*

*એટલે જ આપણે ત્યાં કહેવત છે*...

*શિયાળા નું છાણું,* 
 *જુવાની નું નાણું,* 
 *અને ઘડપણનું વસાણું,*  

સાચવીને રાખજો.

12 જૂન, 2021

मानव-जीवन का उद्देश्य

🏉🏉🏉🏉🏉🏉

एक बार पचास लोगों का ग्रुप। किसी मीटिंग में हिस्सा ले रहा था।
मीटिंग शुरू हुए अभी कुछ ही मिनट बीते थे कि स्पीकर अचानक
ही रुका और सभी पार्टिसिपेंट्स को गुब्बारे 🏉देते हुए बोला , ” आप
सभी को गुब्बारे पर इस मार्कर से अपना नाम लिखना है। ” सभी ने
ऐसा ही किया। 

अब गुब्बारों को एक दुसरे कमरे में रख दिया गया।
स्पीकर ने अब सभी को एक साथ कमरे में जाकर पांच मिनट के अंदर💫✨💥
अपना नाम वाला गुब्बारा ढूंढने के लिए कहा। 

सारे पार्टिसिपेंट्स
तेजी से रूम में घुसे और पागलों की तरह अपना नाम वाला गुब्बारा ढूंढने
लगे। 

पर इस अफरा-तफरी में किसी को भी अपने नाम
वाला गुब्बारा नहीं मिल पा रहा था… 

5 पांच मिनट बाद सभी को बाहर
बुला लिया गया। 

स्पीकर बोला , ” अरे! क्या हुआ , आप
सभी खाली हाथ क्यों हैं ? क्या किसी को अपने नाम
वाला गुब्बारा नहीं मिला ?” ”

नहीं ! हमने बहुत ढूंढा पर
हमेशा किसी और के नाम का ही गुब्बारा हाथ आया…”, एक
पार्टिसिपेंट कुछ मायूस होते हुए बोला।

🏉“कोई बात नहीं , आप लोग एक
बार फिर कमरे में जाइये , पर इस बार जिसे जो भी गुब्बारा मिले उसे
अपने हाथ में ले और उस व्यक्ति को दे दे जिसका नाम उसपर
लिखा हुआ है । “, स्पीकर ने निर्दश दिया। 

🏉एक बार फिर सभी पार्टिसिपेंट्स कमरे में गए, पर इस बार सब शांत थे , और कमरे
में किसी तरह की अफरा- तफरी नहीं मची हुई थी। सभी ने एक दुसरे
को उनके नाम के गुब्बारे दिए और तीन मिनट में ही बाहर निकले आये।

स्पीकर ने गम्भीर होते हुए कहा ,

 ☝☝” बिलकुल यही चीज हमारे जीवन में भी हो रही है। 
हर कोई अपने लिए ही जी रहा है , उसे इससे कोई
मतलब नहीं कि वह किस तरह औरों की मदद कर सकता है , वह तो बस पागलों की तरह अपनी ही खुशियां ढूंढ रहा है , पर बहुत ढूंढने के बाद
भी उसे कुछ नहीं मिलता ,

👉👉 हमारी ख़ुशी दूसरों की ख़ुशी में छिपी हुई है।

👌👉 जब हम औरों को उनकी खुशियां देना सीख जायेंगे
👌👉तो अपने आप ही हमें हमारी खुशियां मिल जाएँगी।
और यही मानव-
जीवन का उद्देश्य भी है !!!
 🙏🏼🙏🏼