શબ્દાર્થ-
દેવભૂમિ - પવિત્ર ભૂમિ
વિશ્વાસ - ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ;
જિન - જૈન
બક્ષી - આપી
તવંગર -પૈસાદાર
નિરક્ષર -અભણ
સાહો- મદદ કરો
પરસ્પર - એકબીજાને .
વિરુદ્ધાર્થી શબ્દો
( 1 ) જ્ઞાની x અજ્ઞાની
( 2 ) નીરોગી× રોગી
( 3 ) તવંગર x નિર્ધન
( 4 ) ઉચ્ચ x નીચ
( 5 ) સમાન x અસમાન
( 6 ) સાક્ષર x નિરક્ષર
*બહુવિકલ્પ પ્રશ્નોત્તર
- નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
( 1 ) ‘ હિંદમાતાને સંબોધન ' કાવ્યના કવિ કોણ છે ?
જ. કાંત
( 2 ) હિંદને કેવી ભૂમિ કહેવામાં આવી છે ?
જ. પવિત્ર
3) સંતાનો ભેગા મળીને શું કરે છે ?
જ.વંદન
( 4 ) હિંદમાતા આપણને કેવી રીતે પોષે છે ?
જ.( A ) શુભ ખાનપાન આપીને
( 5 ) નીચેના શબ્દની સાચી જોડણી જણાવો .
જ. વાલ્મીકિ
( 6 ) નિર્ધન’નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો .
જ. તવંગર
( 7 ) કાવ્યમાં આવતા દેવભૂમિ ’ શબ્દનો શો અર્થ થાય છે ?
જ. પવિત્ર ભૂમિ
( 8 ) ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે આ કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે ?
જ. વિશ્વાસી
( 9 ) “ મદદ કરો ’માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે?
જ. સાહો
( 10 ) “ હિંદુ અને મુસલમાનઃ વિશ્વાસી , ________જિન:-શબ્દ ક્યો છે ? . … ... , જિનઃ ' - આ પંક્તિમાં ખૂટતો અક્ષર કયો છે?
જ. પારસી
( 1 ) આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ?
જ*આ કાવ્ય હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ એટલે કે હિંદમાતાને સંબોધીને લખાયું છે .
( 2 ) હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
જ* સરસ , પૌષ્ટિક ખાન - પાન એટલે કે ભોજન અને પાણી આપીને હિંદમાતા સંતાનોનું પોષણ કરે છે .
( 3 ) આ કાવ્યમાં ક્યો ભાવ રજૂ થયો છે ?
જ* આ કાવ્યમાં હિન્દુસ્તાનમાં રહેનાર સૌ સમાન છે , તેમની વચ્ચે ઊંચ - નીચ કે એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી . સૌએ પરસ્પર પ્રેમ રાખવો તથા એકબીજાની મદદ કરવી જોઈએ . સૌ હિંદમાતાના સંતાનો છે એ ભાવ રજૂ થયો છે .
સ્વાધ્યાય
1 . નીચેના પ્રશ્નોના ઉત્તર આપો
( 1 ) ભારતમાં ક્યા ક્યા ધર્મ પાળતી પ્રજા વસે છે ? જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ખ્રિસ્તી , પારસી , જૈન , બૌદ્ધ ધર્મ પાળતી પ્રજા વસે છે .
( 2 ) ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
જ. જે રીતે માતા બાળકનું પોષણ કરે છે , એ રીતે ધરતીમાતા પણ જીવનને જરૂરી એવાં તત્ત્વો , ખોરાક અને પાણી આપે છે . તે સૌને સમાન રીતે રાખે છે . એકસરખો પ્રેમ આપે છે . માતા પવિત્ર છે . તેથી કવિ ભારતભૂમિને પણ માતા તરીકે સંબોધે છે .
( 3 ) ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ?
જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન , પારસી , બૌદ્ધ વગેરે ધર્મો પાળતી પ્રજા વસે છે . સૌ કોઈ પણ પ્રકારની ભેદભાવ વગર , સંપીને પ્રેમપૂર્વક રહે છે . નાત - જાત કે અમીરી - ગરીબીના ભેદભાવ અહીં નથી , તેથી ભારતમાં વસતી પ્રજાને કવિ એકસમાન ગણે છે .