🚩બહ્માંડની ઉત્પત્તિ, તેનું વિસ્તરણ અને બ્લેક હોલ સહિતનાં રહસ્યો આપણા ઋષિમુનીઓ જાણતા હતા🚩
🚩હોલ કેવો દેખાય છે, તેનો કોયડો તેની સૌ પ્રથમ તસવીર મેળવી 200 ખગોળશાસ્ત્રીઓની ટીમે તાજેતરમાં ઉકેલી નાખ્યો હતો. ભારતના જાણીતા ખગોળવિદ ડો. જે જે રાવલ આને એક વિરલ સિધ્ધિ ગણાવે છે સાથો સાથ કહે છે કે, બ્રહ્માંડના અકળ રહસ્યો પણ આપણા વેદ-ઉપનિષદોમાં સંગ્રહાયેલા છે. ખરા અર્થમાં આજની પેઢી વિજ્ઞાનને સમજવા વેદ વાંચે તે જરૂરી છે.
લોકવિજ્ઞાન કેન્દ્રમાં બ્લેક હોલ પર એક પ્રવચન માટે રાજકોટ આવેલા ડો. રાવલના કહેવા મુજબ આશરે 13.7 અબજ વર્ષ પહેલા સમગ્ર બહ્માંડ એક એક બિંદુ હતું. જે કોઇ અેક પળે કવચ ભેદીને મહાવેગથી વિસ્તરવા માંડ્યું. આ સમજાવવા માટે માટે બીગબેંગ થીયરી પણ છે. આપણા વેદોમાં હિરણ્યગર્ભ(કોસ્મિક ઇંડુ)ને શ્રૃષ્ટિનો પ્રારંભિક સ્ત્રોત માનવામાં આવ્યો છે. તેના વિસ્ફોટથી બ્રહ્માંડ વિસ્તર્યું. ઋગ્વેદના નાસાદીય સુક્તમાં બ્રહ્માંડ પૂર્વની સ્થિતિ જેનો સચોટ જવાબ આજના વિજ્ઞાન પાસે નથી તેને પણ વૈજ્ઞાનિક ઢબે વર્ણવવામાં આવી છે. જે આ મુજબ છે,
नासदासीनो सदासीत तदानीं नासीद रजो नो वयोमापरो यत|
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद गहनं गभीरम|
જેનો અર્થ થાય છે કે બ્રહ્માંડના સર્જન પહેલા સત્ય કે અસત્ય ન હતું, અંતરીક્ષ પણ ન હતું કે ન આકાશ, તે ક્યા છૂપાયેલું હતું, કોણે આ કર્યું, એ સમયે તો જળ પણ ન હતું. આપણ વેદોની આ જે વ્યાખ્યા છે તેનાથી આજનુ વિજ્ઞાન બ્રહ્માંડની ધારણા વિષે તસુભાર પણ આગળ વધી શક્યું નથી. બીગબેંગ એટલે કે મહાવિસ્ફોટ સમયે આ કોસ્મિક ઇંડું શેમા આવેલું હતું તેની સ્પષ્ટતા છાતી ઠોકી કરી શકતું નથી અને અંતે તે સુપ્રીમ પાવર પર છોડી દે છે.
વેદોએ સ્પષ્ટ કર્યું કે બહ્માંડ પણ પંચ મહાભૂતનું બનેલું છે. જેમા ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ ની પરિભાષા મુજબ સુક્ષમ સ્વરૂપ અણુ અને વિરાટ સ્વરૂપ છે વિષ્ણુ. દરેકમાં પૃથ્વી,જળ, વાયુ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. આ અણુની શોઘ પણ કણાદ ઋષિએ કરી હતી. વેદ મુજબ બ્રહ્માંડના અંતે પણ ફક્ત ઊર્જા જ બચશે. જેને પરમ બ્રહ્મ તત્વ તરીકે ઓળખાવાયું છે. જે નિરાકાર નિર્ગુણ છે. જે આજનું વિજ્ઞાન પણ માને જ છે.
મીરર ટેલિસ્કોપનો રામાયણમાં ઉલ્લેખ
બ્રહ્માંડમાં દૂર દૂર સુધી ડોકિયું કરવા માટે વૈજ્ઞાનિકો હવે લિક્વિડ ટેલિસ્કોપ વિકસાવવા સંશોધનો કરી રહ્યા છે. ડો.રાવલના કહેવા મુજબ આનો કન્સેપ્ટ રામાયણના એક પ્રસંગમાં છે. જેમાં કૌશલ્યા માતાએ પાણી ભરેલી થાળીમાં ભગવાન શ્રી રામને ચંદ્રદર્શન કરાવ્યું હતું. ત્યારે આ થાળીમાં પારા જેવુ દ્રવ્ય રાખીને લિક્વિડ ટેલિસ્કોપનો કન્સેપ્ટ વિકસાવવાનો છે. અત્યારે કાચના ટેલિસ્કોપમાં તેના કદની કેટલી મર્યાદા છે. આ લિક્વિડ ટેલિસ્કોપનો વિસ્તાર એક મોટા શહેર જેવડો પણ હોઇ શકે.
પુરાણોમાં બ્લેકહોલનો ઉલ્લેખ
સાંદીપની ઋષિએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી ગુરૂદક્ષિણા તરીકે પોતાના મૃત પુત્રને પરત લાવવા માંગણી કરી હતી. ત્યારે શ્રી કૃષ્ણ ગરૂડ પરે બેસી એક અંધકારમય સ્થળે પ્રવેશે છે અને ત્યાં ભીતર પ્રકાશ પૂંજમાંથીઋષિના પુત્રને પરત લાવે છે. ડો.રાવલના કહેવા મુજબ આ એક બ્લેક હોલ જ હોવો જોઇએ. આપણા વેદ પુરાણોમાં બ્રહ્માંડના અનેક રહસ્યો છૂપાયેલા છે પરંતુ બની શકે કે આજના જેવી ડોક્યુમેન્ટેશનની સુવિધાના અભાવે અનેક રહસ્યોને સાબિત કરતા સમીકરણો આપણા સુધી પહોંચ્યા ન હોય.પાણીનીના વ્યાકરણમાં પણ અલગોરિધમનું દર્શન થાય છે.
સૌજન્ય સહ : દિવ્ય ભાસ્કર. કોમ